એક તરફ રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેર શાંત પડી રહી છે ત્યારે બીજી તરફ અમદાવાદ અને વડોદરામાં નવા કેસ સામે આવી રહ્યા છે.અમદાવાદમાં 293 કેસ, વડોદરામાં 433 કેસ નોંધાયા
રાજ્યામાં કેસ ઘટ્યા મોટા શહેરોમાં કેસ વધ્યા
અમદાવાદ અને વડોદરામાં કોરોના કેસમાં વધારો
અમદાવાદમાં 293 કેસ, વડોદરામાં 433 કેસ નોંધાયા
એક તરફ રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેર શાંત પડી રહી છે ત્યારે બીજી તરફ અમદાવાદ અને વડોદરામાં નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં બંને શહેરમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ 27મી મેના રોજ વડોદરામાં 530 નવા કેસ નોંધાયા હતા. જ્યારે ત્રીજા દિવસે 433 નવા કેસ સામે આવ્યા છે આ તરફ અમદાવાદમાં પણ વડોદરાની સરખામણીએ 293 કોરોના કેસ નોંધાયા છે.
મોટા શહેરમાં વધી રહ્યા છે કેસ
મહત્વનું છે કે રાજ્યમાં 62 દિવસ બાદ નવા કેસમાં 2252થી ઓછા નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 2 હજાર 230 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 7 હજાર 109 દર્દીએ કોરોનાને માત આપી છે. જો વાત કરવામાં આવે તો રોજ 29 લોકો કોરોનાથી મૃત્યુ થાય છે. આમ સતત 25માં દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 93.98 ટકા થયો છે.
હજુ પણ ત્રીજી લહેર આવી શકે છે
રાજ્યમાં કેસ ઓછા થઈ રહ્યા છે જ્યારે મોટા શહેરમાં કેસ વધી રહ્યા છે રાજ્યમાં હાલ 43 હજાર 611એક્ટિવ કેસ છે અને 544 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે, અત્યાર સુધીમાં 8 લાખ 5 હજાર 517 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 9 હજાર 790 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. કોરોનામાં અત્યાર સુધીમાં 7 લાખ 57 હજાર 124 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે 38 હજાર 149 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે ત્યારે અમદાવાદ અને વડોદરા શહેરમાં કોરોના કેસ વધી રહ્યા છે હજું પણ કોરોનોની ત્રીજી લહેર આવે તેવી શક્યતા જોવા સેવાઈ રહી છે. જેને લઈને તંત્રએ પણ ત્રીજી લહેરને પહોંચી વળવા કવાયત હાથ ધરી છે.