ભારતમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે આઇપીએલને લઇને વિવાદ છેડાયો છે. વિદેશી ક્રિકેટરે કહ્યું કે જે દેશમાં હેલ્થ આટલી મોટી સમસ્યા છે ત્યાં ક્રિકેટ પર આવડી મોટી રકમ કેવી રીતે ખર્ચ કરી શકાય?
IPL 2021 પર ઉઠાવ્યા સવાલ
વિદેશી ક્રિકેટરે પૂછ્યા સવાલ
આટલા કેસ છતાં આઇપીએલ રમાય છે
વધતા કોરોના કહેરના કારણે આઇપીએલને વચ્ચે જ મૂકીને ઓસ્ટ્રેલિયા રવાના થયેલ રાજસ્થાન રોયલના ફાસ્ટ બૉલર એન્ડ્રુ ટાયે ખુબ હેરાની જતાવી છે. ટાયએ કહ્યું કે જો લીગથી કોવિડ-19 મહામારીના કારણે પીડિત લોકોનો તણાવ દૂર થઇ રહ્યો થે તે તેને ચાલુ રાખવુ જોઇએ.
ટાયે આપ્યુ નિવેદન
ટાયે કહ્યું કે, જો લીગને ભારતીય દ્રષ્ટિકોણથી જોઇએ તો આ કંપનીઓ અને ફ્રેંચાઇઝી, સરકાર આવા સમયમાં આઇપીએલ પર આટલા પૈસા કેવી રીતે ખર્ચ કરી રહી છે જ્યાં લોકોને હોસ્પિટલ નથી મળી રહી.
ટાયએ ક્રિકેટ ડૉટ કોમ ડૉટ એયુને કહ્યું કે, જો ખેલ ચાલુ રહે અને તેનાથી લોકોની માનસિક હાલતમાં સુધાર આવે છે તો તેને ચાલુ રાખવો જોઇએ પરંતુ હું માનુ છુ કે બધાના વિચારવાની રીત અલગ અલગ હોય છે. હું બધાના વિચારોનું સન્માન કરુ છુ.
તેણે વધુમાં કહ્યું કે આઇપીએલમાં બધા ખેલાડી સુરક્ષિત છે પરંતુ મનમાં તે સવાલ રહે છે કે તે ક્યાં સુધી સુરક્ષિત રહેશે. 34 વર્ષના આ ખેલાડીએ ભારતમાં કોરોના કેસ વધવાના કારણે દેશમાં પ્રવેશ નિશેધના કારણે આઇપીએલ વચ્ચે જ છોડી દીધુ હતુ.
રાજસ્થાને એન્ડ્રુને 1 કરોડમાં ખરીદ્યો હતો
ટાયે કહ્યું કે તેમના ગૃહનગર પર્થમાં ભારતથી જનાર લોકોના કારણે આ નિર્ણય કર્યો છે. ટાયે હજુ સુધી એક પણ મેચ નથી રમી અને તેને 1 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.
તેણે કહ્યું કે બબલમાં રહેવુ પણ થાકભર્યુ છે. ઓગસ્ટથી અત્યાર સુધી હું માત્ર 11 દિવસ જ બબલમાં રહ્યો છુ અને હવે મારે ઘરે જવું છે.