ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કોરોના વાયરસની મહામારી હોવા છતાં નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર દેશભરમાં પ્રચાર કરશે. જોકે ભાજપ દ્વારા મહામારીને ધ્યાનમાં રાખીને આ અભિયાન ફક્ત ડિજિટલ માધ્યમ દ્વારા હાથ ધરવામાં આવશે. પાર્ટી લોકોને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે જણાવવા માટે એક અભિયાન હાથ ધરશે.
23 મે 2019માં લોકસભા ચુંટણીનું પરિણામ આવ્યુ હતુ
30 મેના રોજ મોદી સરકાર 2.0નું એક વર્ષ પુરા થઈ જશે
ડિજિટલ માધ્યમથી સરકાર પોતાના કામનો પ્રચાર કરશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠીને સંબોધન કરશે. જેપી નડ્ડાનું સંબોધન ફેસબુક લાઇવ દ્વારા થશે. આ રેલીનું દરેક સ્તરે વર્ચુઅલ રીતે રેલીનું આયોજન પણ કરવામાં આવશે.
હકિકતમાં મોદી સરકાર અને ભાજપ આ મહિને ફરીથી સત્તામાં આવ્યાને એક વર્ષ પુરુ થયુ છે. પરંતુ કોરોના સંકટને લીધે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું કે ભાજપ પ્રથમ વર્ષગાંઠ કેવી રીતે ઉજવશે.
2019 માં મોદી સરકારને સત્તા મેળવવાના બાબતને 30 મેના રોજનું એક વર્ષ પુરુ થશે. 2014 થી જ્યારે મોદી પહેલીવાર વડા પ્રધાન બન્યા ત્યારબાદથી ભાજપ અને સરકાર વર્ષગાંઠના પ્રસંગે લોકોને તેમની સિદ્ધિઓ જણાવતી રહી છે.
ઉલ્લેખનીય કે લોકસભાની ચૂંટણીના પરિણામો 23 મે 2019 ના રોજ આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી જીતી. નરેન્દ્ર મોદી બીજી વખત વડા પ્રધાન બન્યા. 30 મેના રોજ મોદી સરકાર 2.0 તેની 1 વર્ષની મુદત પૂર્ણ કરશે. એક વર્ષમાં, મોદી સરકારે ઘણા નિર્ણયો લીધા.
નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકાર 30 મેના રોજ પોતાની બીજી ટર્મના પ્રથમ વર્ષને પૂર્ણ કરી રહી છે. પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ પ્રસંગે ન તો સમારોહનું આયોજન કરવામાં આવશે કે ન તો કાર્યકર્તાઓના કોઈ સમ્મેલન થશે. પાર્ટી ડિજિટલ માધ્યમ દ્વારા જ સરકારની ઉપલબ્ધિઓનો પ્રચાર કરશે.