રાજ્યસભાની ચૂંટણીએ આખું ગુજરાત ગજવ્યું છે. પણ જો કે ગુજરાતની પ્રજા તો કોરોનાની ચર્ચામાં વ્યસ્ત છે. સરકારે રાતોરાત નિર્ણયો લઈ શાળા-કોલેજ, સિનેમા ઘરો સહિત ઘણું બધુ એકાએક બે અઠવાડિયા માટે બંધ કરી દીધું પણ વિધાનસભા કેમ બંધ ના કરી. આ પ્રશ્નનો જવાબ ગઈકાલે વિધાનસભા લૉબી થઈ રહેલી ચર્ચામાંથી મળ્યો. વાત એવી છે કે વિધાનસભા ચાલુ રાખે તો ભાજપના ધારાસભ્યો મોવડી મંડળના નજર સામે રહે, નહીંતર ક્યાં કોંગ્રેસની જેમ ખડી ના જાય.
બધુ બંધ છતાં વિધાનસભા કેમ ચાલું શામે આવ્યું કારણ
વિધાનસભા અધ્યક્ષે મોદીને કહ્યું,આપ કોંગ્રેસમાં ક્યારે આવી ગયા
મોબાઈલ વાપરતાં અધિકારીઓને અધ્યક્ષે ટપાર્યા
મોવડી મંડળ વિધાનસભામાં MLA પર નજર રાખશે
આ ચર્ચા પરથી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ધારાસભ્યો જપયુરમાં તો ભાજપે ધારાસભ્યો વિધાનસભામાં સાચવ્યા છે. કોંગ્રેસના આંતરિક ડખાની જેમ ભાજપના ધારાસભ્યોનો પણ આંતરિક ચરૂ ઉકળી રહ્યો છે. ક્યાંક આ ચરૂ રાજ્યસભા ચૂંટણી પહેલાં ન ઉકળે એટલે વિધાનસભા સત્ર ચાલું રાખી બધા ધારાસભ્યોને નજર સામે રાખવા આ સત્ર ચાલું રખાયું છે.
અધ્યક્ષે ધારાસભ્યોને છોડી અધિકારીઓને ટપાર્યા
વિપક્ષની ગેરહાજરી હોઈ ગૃહમાં શાસક પક્ષના ધારાસભ્યો જ નહીં, અધિકારીઓ ય જાણે રિલેક્સ મૂડમાં જણાયા હતા. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ભાજપના ધારાસભ્યો વાતે વળ્યાં હતાંને, અધિકારીઓ ગેલેરીમાં પગ પર પગ ચડાવીને બેઠા હતાં. આ જોઈને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓને ટપાર્યા કે, ગૃહમાં સરખી રીતે બેસો. આ સાંભળતા જ શાંતિથી બેસેલા અધિકારીઓ જાણે સાવધાન થઈ ગયા હતાં. બીજી તરફ, ભાજપના ધારાસભ્યો ગૃહમાં પલાઠી મારીને બેઠા હતા. એટલું જ નહીં, પગ પર પગ ચડાવીને બેઠા હતાં કે, જો કો તેના પર અધ્યક્ષનું ધ્યાન ગયું નહીં.
હું આજીવન ભાજપમાં રહીશ, કોંગ્રેસવાળા પણ આવું જ કહેતા હતા
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી શરૂ થઈ ત્યારે પહેલો પ્રશ્ન કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરનો હતો જે હાજર ન હતા પરંતુ અધ્યક્ષ પ્રશ્ન મૂવ કરે તે પહેલા જ બીજો પ્રશ્ન પૂછવા માટે ભાજપના પૂર્ણેશ મોદી ઉભા થઈ ગયા. જેથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કટાક્ષ કર્યો હતો કે, આપ કોંગ્રેસમાં ક્યારે આવી ગયા. જવાબ આપતા પૂર્ણેશ મોદીએ ગર્જના કરી હતી કે "હું આજીવન ભાજપમાં જ રહેવાનો છું. અઘ્યક્ષે કોમેન્ટ કરી કે કોંગ્રેસવાળા પણ આવું જ કહેતા હતા.