વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે ભારત કોરોનાની મહામારી છતાં ચીનની સાથે સીમા પર દશકોના સૌથી ખરાબ સંકટ સામે પૂર્ણ દ્રઢતા અને પરિપક્વતાની સાથે પહોંચી વળ્યું. પેરિસના એક પ્રમુખ થિંક ટેંકમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનની શ્રૃંગલાએ ફ્રાન્સમાં થયેલી 2 આતંકી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો.
આપણને સીમા સંબંધી રણનીતિક લક્ષ્યોથી વિચલિત નથી કર્યા
આજની લડાઈ કોઈ ખાસ સમુદાય કે વ્યક્તિઓની વિરુદ્ધ નથી
લડાઈ કટ્ટરપંથી રાજનીકતિક ધાર્મિક વિચારધારાની વિરુદ્ધ છે
સાથે કહ્યું કે દુનિયાને આંતકવાદના ખતરાને દુર કરવા માટે દ્રઢતાની જરુર છે. સાથે કાર્ય કરવાની આવશ્યકતા છે. વિદેશ સચિવે કહ્યું ભારત અને ફ્રાન્સની સામે કટ્ટરપંથ અને આતંકવાદના રુપે એક સમાન ગેર પારંપરિક સુરક્ષા ખતરો છે અને આજની લડાઈ કોઈ ખાસ સમુદાય કે વ્યક્તિઓની વિરુદ્ધ નથી. બલ્કે કટ્ટરપંથી રાજનીકતિક ધાર્મિક વિચારધારાની વિરુદ્ધ છે.
પાકિસ્તાનથી થઈ રહેલી સીમા પારના આતંકવાદનો ઉલ્લેખ કરતા શ્રૃંગલામાં કહ્યું કે ભારતે પોતાની પશ્ચિમી સીમા પર સતત કડક ચૌક્સી બનાવી રાખી છે. શ્રૃંગલાએ ફાન્સ, જર્મની અને બ્રિટનને પોતાના 3 દિવસના પ્રવાસ દરમિયાન પેરિસ પહોંચ્યા. વિદેશ સચિવે કહ્યું કે આપણા ત્વરિત પડકારોએ આપણને સીમા સંબંધી રણનીતિક લક્ષ્યોથી વિચલિત નથી કર્યા, વિશેષ રીતે હિંદ પ્રશાંત વિસ્તારોમાં, જ્યાં આપણે ઉદ્ધેશ્યની સાથે ખુલ્લા અને સમાવેશી ઢાંચા માટે વિભિન્ન ચરણમાં આગળ વધી રહ્યા છીએ.