કચ્છમાં દિવસને દિવસે પાણીની સમસ્યા વિકટ બની રહી છે. એક તરફ તંત્ર નર્મદા કેનાલ મારફતે પાણી આપવાના દાવા કરી રહી છે, પરંતુ રાપરનુ રામવાવ ગામ નર્મદા કેનાલની બીલકુલ નજીક હોવા છતા લોકો અહીં પાણી માટે વલખાં મારી રહ્યા છે અને દુરદુર વાડીમા પાણી ભરવા જઇ રહ્યા છે.
નર્મદા કેનાલ ગામમાંથી પસાર થતી હોવા છતા રાપરના રામવાવ ગામના લોકો મારી રહ્યા છે, પાણી માટે વલ્ખા ગામમા અત્યાર સુધી પાણીની કોઇ યોજનાનો લાભ પહોચ્યો નથી. દાતાના સહયોગથી બોર બનાવાયો છે, પરંતુ ત્યાં પીવા લાયક પાણી આવતુ નથી. છતા લોકો પીવે છે અને પીવા લાયક પાણી માટે આસપાસની વાડીઓમાં લોકોને પાણી માટે જવુ પડે છે. જેના માટે મહિલાઓને લાંબો સંધર્ષ કરવો પડે છે.
પાણી પુરવઠા સહિત તંત્ર પાસે આ અંગે ગામ લોકોએ અનેક રજુઆતો કરી, પરંતુ તંત્રએ કાયમી કે વૈકલ્પીક વ્યવસ્થા માટે કોઇ કાર્યવાહી કરી નથી. જેથી ગામલોકો જાતે પીવાના પાણી માટે દુરદુરથી પાણી માટે જાય છે અને પીવા સિવાયના અન્ય કામો માટેનુ પાણી બોરમાંથી મેળવે છે અને ક્યારેક ન છુટકે જરૂરીયાત માટે પીવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. ચુંટણે સમયે વચનો મળ્યા પરંતુ આજે પાણી માટે સંધર્ષ કરે છે. તો કમાન્ડ એરીયામા ન આવતુ હોવાનુ કહી તંત્ર તેમની રજુઆત સાંભળતુ નથી.
700થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા છે, પરંતુ હાલ જ્યારે ઉનાળો છે ત્યારે સમસ્યા વિકટ બની છે. ગામમાંથી નર્મદાની કેનાલ પસાર થાય છે. પરંતુ વૈક્લપીક વ્યવસ્થા તંત્રએ ન કરતા છંતા પાણીએ લોકો દુરદુર સુધી પાણીની શોધમાં જાય છે. અથવા બોરમાં આવતા પાણીનો ઉપયોગ કરી જરૂરીયાત સંતોષે છે. ત્યારે ગામની પાણીની સમસ્યા દુર થાય તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.