જામનગરમાં ભારે વરસાદને કારણે ગંભીર પરિસ્થિતી સર્જાઈ છે. અહીયાના અનેક ગામમાં જળબંબાકાર જેવી સ્થિતીને કારણે લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે.
જામનગરમાં ભારે વરસાદને કારણે તારાજી
મોટા ભાગના ગામડાઓ જળબંબાકાર
બાંગા ગામે હેલિકોપ્ટરથી રેસ્કયું કરાયું
સૌરાષ્ટ્રમાં વહેલ સવારથી ભારે વરસાદને કારણે ભયંકર સ્થિતી સર્જાઈ છે. અહીયા અત્યાર સુધીમાં 20 થી 22 ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં આકાશી આફતે હવે તારાજી સર્જી છે. જામનગરમાં સવારથી પડી રહેલા ધોધમાર વરસાદે અનેક ગામને બેટમાં ફેરવાઈ ગયા છે. જેમા બાંગા ગામમાં તો ભારે વરસાદને કારણે હેલિકોપ્ટરથી લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું.
ઉમિયાધામ બેટમાં ફેરવાયું
જામજોધપુર પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. સીદસર ગામનું ખ્યાતનામ ઉમિયાધામ પણ બેટમાં ફેરવાઇ ગયું છે. ઉમિયાસાગર ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદ પડતા જનજીવન પર અસર પડી છે.
ગામમાં આવેલ ઘરોમાં પાણી ઘુસ્ય
જામજોધપુરના સડોદર ગામમાં પણ પાણી ઘૂસી જતા અહીયાના લોકો ભારે હેરાન થયા છે ગામમાં આવેલ ઘરોમાં અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા જેના કારણે અહીયા જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ હતી.
આલિયાબાડા ગામ બેટમાં ફેરવાયું
અલિયાબાડા ગામમાં એક જ રાતમાં 8 થી 10 ઈંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાયું. ભારે વરસાદથી અનેક ઘરમાં પાણી ઘૂસ્યા. જેના કારણે રાત્રે જ અનેક ગ્રામજનોએ સ્થળાંતર કર્યુ. ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.પાણી ભરાઈ જતાં ગ્રામજનોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે 25 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.
મોટી બાણુંગાર ગામમાં 20 ઈંચ વરસાદ
બીજી તરફ મોટી બાણુંગાર ગામમાં પણ એક રાતમાં 20 ઇંચથી વધુ વરસાદ પડતા ગામ બેટમાં ફેરવાયું છે. ગામના તમામ રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. અતિભારે વરસાદના કારણે ગામમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. કોની ઘરવખરી અને સામાન પલળી ગયો છે. તો બીજી ગામ લોકોનું રેસ્ક્યૂ કરવા તંત્રએ કવાયત શરૂ કરી છે. NDRFની ટીમ રવાના કરવામાં આવી છે...ભારે વરસાદથી ગામમાં અનેક લોકો ફસાયા છે.
રેલ્વે વ્યવહાર પણ ઠપ
જિલ્લાના ફલા ગામ સહિત અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા.ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ભારે વરસાદને કારણે અલિયાબાડા અને વંથલી વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાયો. જેના કારણે ટ્રેન ટ્રેન વ્યવહાર રોકી દેવાયો કારણકે રેલવે ટ્રેક ઉપર ફરી વળ્યા પાણી