રાજસ્થાનમાં વધતા જતા રાજકીય સંકટ વચ્ચે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત યોજી હતી. બંને નેતાઓ દિલ્હીમાં મળ્યા હોવાની જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ બેઠક 40 મિનિટ સુધી જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવાસસ્થાને ચાલી હતી.
ગેહલોત સરકાર સંકટમાં !
રાજસ્થાનમાં ગેહલોત સરકારની મુશ્કેલી વધી
સચિન પાયલટ બળવો કરે તેવી શકયતા
આ બેઠક બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે. શું સચિન પાયલોટ પણ જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગ પર ચાલશે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે. જોકે, આ ચર્ચાનો વિષય છે કારણ કે આખરી નિર્ણય સચિન પાયલોટ લેવાનો છે.
અશોક ગહેલોતે બોલાવી બેઠક
ઉલ્લેખનીય રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચીન પાયલટે તીખા તેવર બતાવ્યા છે. જયપુરમાં અશોક ગહેલોતે ધારાસભ્યો અને મંત્રીઓની બેઠક બોલાવી છે. પાયલટ અને ગહેલોતનો વિવાદ સરકાર બની ત્યારથી જ ચાલી રહ્યો છે.
પરંતુ હવે મધ્યપ્રદેશની સરકાર તૂટ્યા બાદ હવે રાજસ્થાનની સરકાર તૂટશે તે નક્કી હોવાનું માનવામાં આવી રહ્યા છે. પાયલટના સમર્થનમાં 41 ધારાસભ્યો હોવાના સમાચાર મળતા હાલ રાજસ્થાન સરકાર પર જોખમ તોળાઈ રહ્યું છે.બંને નેતાઓ વચ્ચે હવે ખેંચતાણ ચરમ પર આવી છે અને તેના કારણે કોંગ્રેસે દિલ્લીથી બે નેતાઓને મામલો થાળે પાડવા મોકલ્યા છે
રાજસ્થાન સરકાર પર જોખમ
ઉલ્લેખનીય છે કે, રણદીપ સૂરજેવાલા અને અજય માકનને મોકલ્યા છે પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે સચીન પાયલટ અને જ્યોતીરાદિત્યા સિંધીયાની બેઠક બાદ ભાજપ સાથે સેટીંગ કરી લીધું હોવાનું માનવમાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી આવાસ યોજાઇ બેઠક
મુખ્યમંત્રી આવાસ પર બેઠક મળે પછી ખબર પડે કે આખરે ક્યા ધારાસભ્યો હાજર નથી અને કેટલા ધારાસભ્યો પક્ષ પલટો કરીને ભાજપ સાથે સરકાર બનાવી શકે છે.