તો આ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે કે, લોકોએ નરેન્દ્રભાઈને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવવા માટે લોકોએ મતદાન કર્યુ. સાથે જ તેમણે જણાવ્યુ કે, ગુજરાત અને સમગ્ર દેશમાં ભાજપ અને NDAના ઉમેદવારો માટે લોકોએ મતદાન કર્યુ છે. આ ચૂંટણીમાં ભાજપની જીતનો નીતિન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો.