ગુજરાતમાં 10 ટકા EBCલાગુ કરાની વાતને લઈને નીતિન પટેલે આપ્યું નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત સરકારની તમામ સરકારી ભરતી હાલ રોકી દેવામાં આવી છે. જેથી કોઈને અન્યાય ન થાય અને તે માટે ભરતી રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નિયમો સામે આવ્યા બાદ જ ગુજરાતમાં નવી ભરતી કરાશે. જેથી નવા કાયદાનો લાભ તમામને મળે તે માટે નિર્ણય લેવાયો છે. નવો કાયદો બન્યાં પછી બીજી ભરતીઓ કરવામાં આવશે .જેથી આ 10 ટકા EBCનો તમામને લાભ મળી શકે. કોંગ્રેસ સમજ્યા વગર ખોટા આક્ષેપો કરી કહી છે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે મુખ્યમંત્રી અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં પતંગ ઉડાવવાની મજા માણી હતી. આ દરમ્યાન તેમણે પણ સવર્ણોને મળેલાં 10 ટકા અનામત વિશે પ્રતિક્રિયા આપી હતી. રૂપાણીએ કહ્યું હતું કે વર્ષોથી હક માટે લડત લડી રહેલાં સવર્ણોને હવે સર્વાનુમતે અનામત મળી છે. હવે સવર્ણ અનામતના નવા કાયદા પ્રમાણે ભરતી પ્રક્રિયા થશે તેમ પણ કહ્યું હતું. સીએમે વધુમાં કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં કોંગ્રેસને ઉખેડી નાખશે અને 26માંથી 26 બેઠકો પર જીત હાંસલ કરશે.
સીએમ રૂપાણીએ મકરસંક્રાતિની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે ભાજપનો પતંગ ઉડતો જ રહેશે. ભાજપનાં પતંગને કોઈ કાપી શકશે નહીં. 2019ની લોકસભા ચૂંટણીમાં ગઠબંધની ગાંઠો પણ ઉખડી જશે. બીજા 5 વર્ષ માટે ફરી એક વાર મોદી સરકાર બનશે.