ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી ત્યારબાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં આજે કેબિનેટ બેઠકમાં કરવામાં આવેલ ચર્ચા અંગેનો ચિતાર રજૂ કર્યો હતો. જો કે, નાયબ મુખ્યમંત્રીએ આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને લઇને પણ એક નિવેદન આપ્યું હતું.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન
રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ
રાહુલ ગાંધી સમગ્ર દેશમાં ફરશે પણ ગુજરાત નહી આવે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ છે એટલે સમગ્ર દેશમાં ફરશે પણ ગુજરાત નહીં આવે.
ગુજરાત કોંગ્રેસથી એમના જ નેતા નારાજ
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસના નેતાઓની માગ છતાં રાહુલ ગાંધી ગુજરાત નહીં આવે કારણ ગુજરાત કોંગ્રેસથી એમના જ નેતા નારાજ છે. જો કે, ગુજરાતના મતદારો તો નારાજ હોય જ ને એમ કરીને તેમણે ટોણો પણ માર્યો હતો.
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
આ સાથે જ તેમણે પેટા ચૂંટણીને લઇને પણ નિવેદન આપ્યું હતું. DyCM નીતિન પટેલનો કોંગ્રેસ પર ગંભીર આરોપ કર્યો હતો કે, રાજ્યસભાની ચૂંટણી સમયે ભાજપના ધારાસભ્યોને ઓફર થઇ હતી અને આ ઓફર કોંગ્રેસે ભાજપના ધારાસભ્યોને ઓફર કરી હતી. ત્યારે કોંગ્રેસ ભાજપ પર ક્યા મોઢે આક્ષેપ કરે છે.