એક તરફ કોરોના મહામારીએ તો બીજી તરફ વરસાદને કારણે તૂટી ગયેલા રસ્તાઓથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઊંઝા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં તેમની આગવી શૈલીમાં ટીખળ કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના લોકો મને છેતરી ગયા.
ઊંઝામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનુ નિવેદન
બનાસકાંઠાના લોકો મને છેતરી ગયા
લોકો રોડ મંજૂર કરાવે ગામ થી ગામ સુધીના
ઉલ્લેખનીય છે કે, મહેસાણાના ઊંઝા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, બનાસકાંઠાના લોકો મને છેતરી ગયા. કારણ કે, લોકો રોડ મંજૂર કરાવે ગામ થી ગામ સુધીના પણ એમણે તો રોડ મંજૂર કરાવ્યા ગામથી ખેતર સુધીના.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 28, 2020
સારું કામ કરવાની જવાબદારી છે
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, મારી ચકાસણી કરવાની પદ્ધતિ છે અને સાચું અને સારું કામ કરવાની જવાબદારી છે. આ પ્રજાના પૈસા છે, ટેક્સ ભર્યો છે પ્રજાએ અને ટેક્સ સરકારની તિજોરીમાં આવે છે અને અમે તમારા વતી વહીવટ કરીએ છીએ.