મહેસાણા જિલ્લામાં સિવિલ હોસ્પિટલની મુલાકાત સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ત્રીજી વેવ અંગે નિવેદન, દેશભરમાં ત્રીજી વેવની શક્યતાના પગલે ગુજરાતમાં પૂરતી તૈયારીઓ કરી દેવાઈ
દેશમાં કોરોનાની ત્રીજા વેવની શકયતા છે
શકયતાને પગલે હાલમાં સરકારનું સતત આયોજન
નાના બાળકોને સંક્રમણની શક્યતા વ્યક્ત કરાઇ છે
નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કોરોનાની સ્થિતિ અંગે જાણકારી આપી નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યું કે, દેશભરમાં કોરોનાની ત્રીજા વેવની શકયતા છે. આ શકયતાના પગલે ગુજરાતમાં પણ સરકાર પૂરતી સારવારનું આયોજન કરી રહી છે. નાના બાળકોમાં સંક્રમણની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલની તૈયારી રાજ્ય સરકાર યથાવત રાખશે. વડનગરમાં બાળકો માટે 50 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણા સિવિલમાં બાળકો માટે વેન્ટીલેન્ટર સહિતની સુવિધા કરાશે.
તો આ સાથે રાજ્યમાં કોરોનાના આંકડા અંગે પણ DYCM નીતિન પટેલે નિવેદન આપ્યું કે, છેલ્લા 10 દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી છે. આંકડા જોતા સરકાર કોરોના ઉપર કાબુ મેળવવામાં સફળ રહી છે. ગુજરાતમાં ગઈકાલે 1 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી કાબુમાં લેવાનુ લક્ષ્ય છે. ગુજરાતમાં એક સમયે 14,000થી વધુ કેસ નોંધાયા હતા.
બીજી વેવમાં કોરોનાનો એકપણ દર્દી ઓક્સિજનના કારણે મોત થયું નથી
આ સાથે નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં જ્યારે 14 હજારથી વધુ કેસ આવતા હતા. ત્યારે ઓક્સિજનની ખપત પણ વધી ગઈ હતી. અને ભારે જહેમત બાદ સરકાર ઓક્સિજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી નથી. અને કોઈપણ દર્દીનું ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ થયું હોઈ તેવું સામે આવ્યું નથી. અન્ય રાજ્યમાં ઓક્સિજનની ઘટના કારણે લોકોના મોત થયા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ (છેલ્લા 24 કલાક)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 848 નવા કેસ નોંધાયા છે, તો 12 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે.