કડીના લહોર ગામે સામાજિક બહિષ્કાર મુદ્દે સરકાર હરકતમાં આવી છે. આજે નાયબ મુખ્યમંત્રીએ લહોર ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો અને દલિતો સાથે વાતચીત કરી બંન્ને પક્ષની રજૂઆત સાંભળીને સમાધાન કરાવ્યું હતું અને દુકાનો ખોલી દલિતોને અનાજ આપવા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સરકાર તરફથી પીડિતોને એક લાખની સહાય જાહેર કરી હતી તો આ તરફ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વર પરમારે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતાં તેમજ મહેસાણા ડેપ્યુટી કલેક્ટર પાસે પણ ખુલાસો માગવામાં આવ્યો હતો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2019
જાણો શું છે વિવાદ
ઉલ્લેખનીય છે કે લહોર ગામમાં દલિત પરિવારના યુવક મેહુલ પરમારના લગ્ન હતાં અને ઘોડી પર તેનો વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે ગામના કેટલાંક સમાજના લોકો આ જોઈ ન શક્યા. જેથી લહોર ગામના દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. લહોર ગામમાં 200થી વધુ પરિવારો છે. જેમની જીવનજરૂરિયાતની વસ્તુ પર પણ પ્રતિબંધ ગામવાળાઓએ લાદી દીધો હતો.
તાલીબાની ફરમાન
લગ્ન મુદ્દે ગ્રામજનોએ ગામમાં વરઘોડો નહીં કાઢવા જણાવ્યું હતું. તેમ છતાં વરઘોડો ગામમાં કાઢવામાં આવતાં ગ્રામજનોએ તાલિબાની ફરમાન જાહેર કર્યાં હતાં. દલિત સમાજ સાથે વ્યવહાર કાપી નાખ્યા હતાં અને જો કોઈ વ્યવહાર કરે તો 5 હજારનો દંડ જાહેર કર્યો. આ મામલે ગામના સરપંચ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.