ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા પર નીતિન પટેલનો મત, આ પહેલા હિન્દુ જો બહુમતીમાં નહી રહે તો કાયદો હવામાં ઊડી જશે તેવુ નિવેદન આપી ચર્ચામાં રહ્યા હતા.
નર્મદામાં ભાજપની કારોબારી બેઠક
કેન્દ્રના નેતાઓની વિશેષ ઉપસ્થિતિ
"ગૌસેવા આપણી સંસ્કૃતિ"
નર્મદાના કેવડિયા ખાતે ભાજપની કારોબારી બેઠક ચાલી રહી છે.આ બેઠકમાં ભાગ લેવા માટે રાજ્ય તથા કેન્દ્રના નેતાઓ કેવડિયા ખાતે આવી પહોંચ્યા છે.આ પ્રસંગે નીતિન પટેલે ગૌ માતાને લઈને પણ નિવેદન આપ્યુ હતું તેમને જણાવ્યુ કે વર્ષોથી ગૌમાતાને માતાની જેમ પુજીએ છીએ.ગૌમાતાની વર્ષોથી આપણે સેવા કરીએ છીએ તથા ગૌસેવા એ આપણી સંસ્કૃતિ છે.રાજ્ય સરકાર પણ ગૌરક્ષા માટે કટિબંધ છે અને તેને લઈને ગુજરાતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ પણ છે. મહત્વનું છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. ત્યારે નીતિન પટેલે હિન્દુ બહુમતી બાદ ગૌરક્ષા પર આપેલું આ નિવેદન અલગ રીતે જોવાઈ રહ્યું છે નીતિન પટેલ હિન્દુત્વકાર્ડ ખેલી રહ્યા હોવાનો વિધ્ન સંતોષીઑ દ્વારા આરોપ લાગી રહ્યો છે.
ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા પર નીતિન પટેલનો મત
ચાલુ વર્ષે કેવડિયા કોલોની ખાતે ટેન્ટ સીટી 2 માં આ કારોબારી યોજવામાં આવી જેમાં માર્ગદર્શન સૌને આપવા કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ પણ આવ્યા હતા, તેમની હાજરીમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે આપણે વર્ષોથી ગૌ માતા ને માતાની જેમ જ ,પૂજીએ છે.અને ગુજરાત માં તો ગુજરાતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ છે કોઈ પણ પશુ પક્ષીને રાષ્ટ્રીય જાહેર કરવું કેન્દ્ર સરકારના હાથમાં હોય છે.
આ પહેલા હિન્દુ બહુમતી પર આપ્યું હતુ નિવેદન
29 ઓગસ્ટના રોજ વિશ્વ હિન્દુ પરિષદના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે નીતિન પટેલે કહ્યું હતું કે આપણા દેશમાં કેટલાક લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા વિશે વાત કરી રહ્યાં છે...તમારે વીડિયો રેકોર્ડ કરવો હોય તો કરી લેજો...મારા શબ્દોને નોંધી લો...જે પણ લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત કરી રહ્યાં છે...આવું ત્યાં સુધી છે જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે...જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાની વધવા લાગશે એ બાદ ના ધર્મનિરપેક્ષતા, ના લોકસભા, ના બંધારણ બચશે...બધુ જ હવામાં ઉડાવી દેવામાં આવશે...તેમણે વધુમાં કહ્યું કે, હું બધા વિશે વાત કરી રહ્યો નથી...મારે સ્પષ્ટતા પણ કરવી જોઇએ...લાખો મુસલમાનો દેશભક્ત છે...લાખો ઇસાઇ પણ દેશભક્ત છે. આ નિવેદન બાદ નીતિન પટેલ પોતાની વાત પર અડગ રહ્યા હતા અને સી આર પાટિલે તેમની આ વાતને સમર્થન કરતાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની સ્થિતિ જોતાં નીતિનભાઈએ હિન્દુ બહુમતી બાબતે ચિંતા વ્યકત કરી છે.