કચ્છઃ રાપરમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી ફતેહગઢ વિસ્તારના ગામોમાં આ કેનાલનું પાણી મળતું ન હતું. જેને લઇને આ વિસ્તારના લોકોએ ધરણાની જાહેરાત કરી હતી. પાણી છોડવા માટે અનેક વાર માંડવીના ધારાસભ્ય રાપર તાલુકાના પ્રમુખ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સજૂઆત કરવામાં આવી હતી.
જો કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને રોષે ભરાયેલા ગ્રામજનોમાં હાલ ખુશીનો માહોલ છવાયો છે.
મહત્વનું છે કે ગ્રામજનોને પાણી ન મળતા 500થી વધારે લોકો ફતેહગઢ નજીક પસાર થતી કેનાલ પર ધરણા પર બેઠા હતા. ડે.સીએમએ રાપર વિસ્તારમાં નર્મદા કેનાલમાંથી પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.