સર્જરી વિભાગના ડોક્ટર જે.જી. ભટ્ટને સોંપવામાં આવ્યો ચાર્જ
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી પાસેથી તાત્કાલિક લઈ લેવાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે, ડો. રાધેશ્યામ ત્રિવેદી પાસેથી ચાર્જ લઈને સર્જરી વિભાગના પ્રાઘ્યપક ડો. જે.જી ભટ્ટને સોપવામાં આવ્યો છે.
રાધેશ્યામ ત્રિવેદી પાસેથી ચાર્જ છીનવાયો
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને તેમના થોડા જ દિવસોમાં સિવિલ અધિક્ષકનો હવાલો ડો.ત્રિવેદી પાસેથી લઈ લેવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.
તેમની વિરૂદ્ધ ઘણીબધી ફરિયાદો થઈ હોવાની જાણકારી
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી સિવિલ અધિક્ષક વિરુદ્ધ ઘણી બધી ફરિયાદો થઇ હોવાથી ઘટના સામે આવી હતી જેના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય મંત્રીની રાજકોટ મુલાકાત દરમિયાન પણ ભાજપના દિગ્ગજ નેતાએ ફરિયાદ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજ ખાતે બેઠક પણ બોલાવવામાં આવી હતી.