પાણીપતમાં એક વિદ્યાર્થિનીએ ભયાનક પગલું ભર્યું. તેણે કોલેજના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, માથામાં ગંભીર ઈજાના કારણે તેનું મોત થયું હતું.
વિદ્યાર્થીનીએ કોલેજના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી
હરિયાણાના પાણીપતમાં બની ઘટના
એક સુસાઈડ નોટ મળી, માતા-પિતાને સોરી કહ્યું
હરિયાણાના પાણીપતમાં એક વિદ્યાર્થીનીએ કોલેજના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. તપાસ દરમિયાન પોલીસના હાથમાં એક સુસાઈડ નોટ મળી છે. જેમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરવાનું કારણ જણાવ્યું છે અને તેના માતા-પિતાને સોરી કહ્યું છે.
કોલેજના ત્રીજા માળેથી કૂદી પડી
વિદ્યાર્થિનીએ કોલેજના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્હાન્વી ધડાકા સાથે જમીન પર પડતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક પાણીપતની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે માથામાં ગંભીર ઈજાના કારણે તેનું મોત થયું હતું.
મૃત્યુ પહેલા તેણે પોતાના ઘરમાં સુસાઈડ નોટ લખી
સમલખા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુનિલ શર્માએ જણાવ્યું કે જ્હાન્વી કોમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીની હતી. તે છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતી. આ કારણોસર તેણે કોલેજના ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. આ ભયાનક પગલું ભરતા પહેલા વિદ્યાર્થિનીએ ઘરે સુસાઈડ નોટ લખી હતી.જેમાં તેણે લખ્યું હતું કે, "હું એન્જીનીયર નહીં બની શકું, હવે હું ડિપ્રેશન સહન કરી શકતી નથી. તેથી જ હું આત્મહત્યા કરી રહી છું. માફ કરશો, મમ્મી-પપ્પા. I Quit". પુત્રીએ લીધેલા આ ભયંકર પગલાથી પરિવારજનો આઘાતમાં છે. વિદ્યાર્થીના સંબંધીઓએ જણાવ્યું કે તેઓ માની શકતા નથી કે જ્હાન્વીએ આવું પગલું ભર્યું છે. સંબંધીઓનું કહેવું છે કે જ્હાન્વીએ તેના મંતવ્યો શેર કરવા જોઈતા હતા.