ITAT દ્વારા કહેવામાં આવ્યું કે ગૃહિણીની બચત કરેલી રકમને સેલેરી કે કમાણીના દાયરામાં ન ગણી શકાય.
ગ્વાલિયરની એક ગૃહિણી ઉમા અગ્રવાલના કેસ પછી લેવાયો નિર્ણય
ગૃહિણી દ્વારા કરવામાં આવેલ અપીલ પર લાગી મહોર
અઢી લાખ સુધીની રકમ પર નહીં લાગે કોઈ ટેક્સ
ગ્વાલિયરની એક ગૃહિણી ઉમા અગ્રવાલના કેસ પછી લેવાયો નિર્ણય
નોટબંધી બાદ ઘરની ગૃહિણીઓ દ્વારા ભેગા કરવામાં આવેલ રોકડ 2.5 લાખ રૂપિયા ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં ગણવામાં નહીં આવે. કારણકે ITAT દ્વારા કહેવામાં આવ્યું કે આ પ્રકારની રકમને સેલેરી કે કમાણીના દાયરામાં ન ગણી શકાય. એક સામાન્ય વ્યક્તિ દ્વારા આ વિશે એક અરજી કરવામાં આવી હતી, તેના પર ફેંસલો સંભળાવતા કહ્યું કે આ નિર્ણય આવા બધા જ કિસ્સામાં એક ઉદાહરણ બનીને બહાર આવશે. ગ્વાલિયરની એક ગૃહિણી ઉમા અગ્રવાલે, વર્ષ 2016-17 માં પોતાના ઇનકમ ટેક્સ રિટર્નમાં કુલ 1,30,810 રૂપિયાની રકમ લખવામાં આવી હતી, પણ નોટબંધી પછી તેમણે પોતાના ખાતામાં 2,11,500 રૂપિયા જમા કરાવ્યા હતા. ઇન્કમ ટેક્સ દ્વારા આ કેસ પર તપાસ કરવાનું કહ્યું અને 2.11 લાખ રૂપિયાની બધી જ માહિતી આપવા માટે કહ્યું.
ગૃહિણી દ્વારા કરવામાં આવેલ અપીલ પર લાગી મહોર
અગ્રવાલે કહ્યું કે તેમના પતિ, તેમના દીકરા અને સગા સબંધીઓ દ્વારા આપવામાં આવેલ રકમને તેમણે બચાવીને રાખી હતી. CIT એ તેમની આ વાતને નકારી દીધી હતી અને 2,11,500 રૂપિયાની રકમને અસ્પષ્ટ ઘોષિત કરીને તેના પર કાર્યવાહી કરવાનું સૂચન કરવામાં આવ્યું. ત્યાર બાદ તેમણે ITATનો સહારો લીધો. ન્યાયાધીશ દ્વારા બધા જ તર્ક અને પુરવાઓને આધારે કહ્યું કે અમારું માનવું છે કે નોટબંધી દરમિયાન નિર્ધારિત દ્વારા જમા કરવામાં રાશીને કોઈ કમાણી તરીકે ના ગણી શકાય. એટલે ગૃહિણી દ્વારા કરવામાં આવેલ અપીલ એકદમ સાચી છે.
અઢી લાખ સુધીની રકમ પર નહીં લાગે કોઈ ટેક્સ
ન્યાયાધિકરણ દ્વારા કહેવામાં આવ્યું કે અમે અહિયાં સ્પષ્ટ કરીએ છીએ કે નિર્ણયને ઉદાહરણ રૂપે લેવાં આવે અને નોટબંધી 2016 દરમિયાન કોઇ પણ ગૃહિણી દ્વારા બેંકમાં જમા કરવામાં આવેલ રાશીને કોઈ પણ રીતે તપાસ માટે લેવામાં ન આવે. પણ એ વાતને ધ્યાનમાં લેવામાં આવે કે આ રકમ 2.5 લાખ રૂપિયા સુધી જ સીમિત છે. જો રકમ આના કરતાં વધુ હશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. નવેમ્બર 2016માં નોટબંધી બાદ ઇન્કમટેકસ વિભાગ દ્વારા 2017માં કહેવામાં આવ્યું હતું કે 2.5 લાખ રૂપિયા જમા કરવા પર કોઈ પણ સવાલ પૂછવામાં નહીં આવે.