રાજકોટમાં કથિત ખાતર કૌભાંડ મામલે હવે બેડી માર્કેટ યાર્ડમાં ડેપો બંધ કરવામાં આવ્યો છે. ખેતીવાડી અધિકારીના આદેશ બાદ GSFC કંપનીનો ડેપો બંધ કરી દેવાયો છે...અગાઉ ખેતીવાડી અધિકારીએ વેચાણ પ્રક્રિયા બંધ કરવા જણાવ્યું હતું. મહત્વનું છે કે,ગુજરાત ખેડૂત સમાજના આગેવાન ચેતન ગઢિયા અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જેતપુરમાં સહકારી રાહે વેચાતા ડીએપી ખાતરમાં કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત ગોડાઉન સીલ કરવાની અને તટસ્થ તપાસની માંગ સાથે તેઓ ધરણા પર બેઠા હતા...