કચ્છ: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ LOC પર આતંકીઓના કેંપમાં હવાઈ હુમલા કર્યો હતો. આ હુમલાબાદ દેશભરમાં હાઇએર્લટ જાહેર કરવામાં આવ્યું છે.
ત્યારે રાજયના કચ્છ બોર્ડર વિસ્તારમાં પોલીસ ચેકિંગમાં વધારો કરાયો છે અને હાઇવે પર પોલીસ ચોકીઓ વધારવામાં આવી છે. તથા પોલીસ દ્વારા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયુ છે. તેમજ હાઈએલર્ટને ધ્યાનમાં રાખી બોર્ડર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
પીઓકેમાં વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ બોર્ડર પર તણવાભરી સ્થિતિ છે. જમ્મૂ-કશ્મીરના પણ કેટલાક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અલર્ટના પગલે ગુજરાતની બોર્ડર પણ સુરક્ષા વધારી દેવાઈ છે.
વીધા કોટ પિલ્લર નંબર 1111 સામે પાકિસ્તાન આર્મીમાં પણ હિલચાલ ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ભારતીય કચ્છ બોર્ડર પર BSF અને આર્મી તૈનાત કરવામાં આવી છે. ભૂજ, નલિયા, ભાનાળા એરપોર્ટ સ્ટેશનને પણ અલર્ટ કરવામાં આવ્યા છે.