કેન્દ્રીય નાણા મંત્રાલયે ડીઓટીને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNl) અને મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ (MTNL) ના પુર્નજીવન પ્રસ્તાવોની ફરી તપાસ કરવા કહ્યું છે. સાથે મંત્રાલયે કહ્યું કે પુર્નજીવન પ્રસ્તાવોની રિપોર્ટ્સને નવી સરકાર બન્યા બાદ તેમની સમક્ષ રજૂ કરવામાં આવે.
કેન્દ્રીય નાણા મંત્રાલયે ડીઓટીને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNl) અને મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ (MTNL) ના પુર્નજીવન પ્રસ્તાવોની ફરી તપાસ કરવા કહ્યું છે. સાથે મંત્રાલયે કહ્યું કે પુર્નજીવન પ્રસ્તાવોની રિપોર્ટ્સને નવી સરકાર બન્યા બાદ તેમની સમક્ષ રજૂ કરવામાં આવે.
એક સીનિયર અધિકારીએ મુજબ, સરકારના આ પગલાથી એ સ્પષ્ટ છે કે કેન્દ્રીય નાણા મંત્રાલય નવી સરકારના બનવા સુધી કેન્દ્રની ખોટમાં ચાલી રહેલા બે ઉપક્રમોની નાણાકિય હાલાત અંગે હાલ કોઇ પગલા ઉઠાવવા માંગતી નથી.
ગત મહીને જ દુરસંચાર મંત્રાલયે તમામ મંત્રાલયને BSNL અને MTNLના પુર્નજીવન માટે આ પ્રસ્તાવ મોકલ્યો હતો. આ અંગે બંને એકમ નાણાં મંત્રાલયની ટીપ્પણીઓની રાહ જોઇ રહ્યા હતા. હાલ તો નાણા મંત્રાલય તેની ફરી તપાસ કરવા અને ફરી તૈયાર કરવા અનુરોધ કર્યો છે.
ટેલિકોમ મંત્રાલયે પોતાના પુર્નજીવન પ્રસ્તાવના બે પ્રમુખ મુદ્દાને રેખાંકિત કર્યા હતા, જેમાં સ્વૈચ્છિક સેવાનિવૃત્ત યોજના (VRS) અને 4જી સ્પેક્ટ્રમનું જોડાણ સામેલ છે.
VRS યોજનાને કારણે બીએસએનએલની આવક પર 6365 કરોડ રૂપિયા અને એમટીએનએલની આવકમાં 2120 કરોડ રૂપિયાનો પ્રભાવ પડશે. તમામ દૂરસંચાર ઓપરેટરો વચ્ચે સૌથી ઓછા દેવું વાળા બીએસએનએલે 7000 કરોડ રૂપિયાના ઇક્વિટિ ઇન્ફોસિસના માધ્યમથી દેશભરમાં 4 જી સ્પેક્ટ્રમની માંગ કરી છે. આ સ્પેક્ટ્રમની કુલ ખર્ચ 14000 કરોડ રૂપિયા હશે.