ગ્રાન્ટેડ શાળાઓમાં મોટી રજા લેતા શિક્ષકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં શાળાઓને આ બાબતે જરૂરી સુચના આપવામાં આવતા કહેવામાં આવ્યુ છે કે 1 વર્ષથી વધુ સમય ગેરહાજર રહેનારા શિક્ષકો હવે સીધો પ્રવાસ નહી મેળવી શકે તેમને સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે.
મોટાભાગે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકો નક્કી કરેલી રજાઓ કરતા વધારે રજાઓ લે છે ત્યારે અમદાવાદ શિક્ષણાધિકારીએ પરિપત્ર દ્વારા શાળાઓને સૂચના આપી છે કે 1 વર્ષ વધારે સમય સુધી ગેરહાજર રહેતા શિક્ષક સરકારની મંજૂરી વગર શાળામાં ફરજ નહીં નીભાવી શકે. આ સાથે જ તેમના પર કડક પગલા ભરવામાં આવશે. આ સિવાય વર્ષમાં 240 કરતા વધુ રજા લેવા માગતા શિક્ષકે શિક્ષણ સંબંધિત વિભાગની મંજૂરી લેવાની રહેશે.
જી હા આ સાથે જ શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીઓએ પરિપત્ર લખીને વિદેશમાં ગયેલા શિક્ષકોની યાદી મંગાવી છે અને ચાલું કે બંધ પગાર મામલે રજા પર ઉતરેલા શિક્ષકોની પણ વિશેષ યાદી લેખિતમાં મંગાવી છે.