નિત્યાનંદ આશ્રમ અને DPS સ્કૂલ વચ્ચે સાઠગાંઠ મામલે નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. ત્યારે DPS સામે ચાલી રહેલી તપાસમાં એ એક ચોંકાવનારો ખૂલાસો થયો છે. જેને પગલે વાલીઓની ચિંતામાં વધારો થયો છે. DPSમાં ભણતા વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે થયેલા ચેડાથી વાલીએ સમસમી ગયાં છે.
DPS અને નિત્યાનંદ આશ્રમ તપાસમાં DPSએ ખોટી NOCનાં આધારે CBSEની માન્યતા લીધું હોવાનું સામે આવ્યું છે. જેને લઈ અમદાવાદ DEO પોલીસ ફરિયાદ નોંધાવશે. શિક્ષણ વિભાગ તરફથી આદેશ મળતા હવે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
જુઠ્ઠાણું સામે આવ્યા બાદ પણ કાર્યવાહીમાં વિલંબ
DPSનું આ જુઠ્ઠાણું સામે આવ્યાં બાદ પણ કાર્યવાહીમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેમજ નિત્યાનંદ આશ્રમને જમીન આપવા મુદ્દે તપાસમાં ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. હજુ સુધી DPS સ્કૂલનાં ચેરપર્સન મંજૂલા શ્રોફની પણ પૂછપરછ કરવામાં આવી નથી. કારણ કે જમીન આપવા મુદ્દે નિર્ણય મંજૂલા શ્રોફે જ લીધો હતો. ત્યારે સવાલ એ છે કે કેમ હજું સુધી મંજૂલા શ્રોફની પૂછપરછ નથી કરાઈ?. શું રાજકીય નેતાઓ મંજૂલા શ્રોફને છાવરી રહ્યાં છે?. અમિતાભ શાહની પણ ભૂમિકા અંગે કેમ તપાસ નથી થઈ રહી? DPS સ્કૂલને ખોટી NOC બનાવવામાં કોણે મદદ કરી હતી અને કોના ઈશારે નિયમોમાં છૂટછાટ અપાઈ રહી છે.