રાજકોટમાં દિવસેને દિવસે રોગચાળો વકરી રહ્યો છે. છેલ્લાં 15 દિવસમાં છસો પંદર ડેન્ગ્યુના કેસ નોંધાયાછે. ત્યારે રાજકોટ એએમસીના બન્ને રાજકીયપક્ષો ડેન્ગ્યુના કેસની સંખ્યાને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપમાં વ્યસ્ત બન્યા છે. રાજકીય આક્ષેપબાજીમાં રોગચાળો ડામવાની કામગીરી પર અસર પડી રહી છે.
રાજકોટમાં રોગચાળો વકર્યો
15 દિવસમાં છસો પંદર ડેન્ગ્યુના કેસ
વિપક્ષ અને સત્તાપક્ષ જામ્યું આંકડાનું યુદ્ધ
ચોમાસું પૂર્ણ થયું છે અને શિયાળાનુ ધીમે પગલે આગમન થઈ રહ્યુ છે. આ ડબલ ઋતુના સંધિકાળમાં રાજકોટમાં રોગચાળાએ માંથું ઉંચક્યું છે. રાજકોટમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ધસારો જોવા મળી રહ્યો છે. આ ઋતુમાં ખાસ કરીને મેલેરિયા અનેડેન્ગ્યુના કેસ વધારે જોવા મળી રહ્યા છે. જો કે, રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને ડામવા માટે ઘર ઘર પહોંચીને વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે.
મનપાના સત્તાધિશો દ્વારા ડેન્ગ્યુના આંકડાનું ખેલાયું યુદ્ધ
એક તરફ રાજકોટ આરોગ્ય વિભાગ અને મહાનગર પાલિકા દ્વારા ડેન્ગ્યુને ડામવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે, તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ડેન્ગ્યુના કેસના આંકડાઓ પર યુદ્ધ ખેલાયું છે.
કોગ્રેસ શહેર પ્રમુખે રોગચાળાના આંકડા મેળવ્યા
રાજકોટ કોંગ્રેસ દ્વારા મંગળવારે આરોગ્ય વિભાગના મેલેરીયા વિભાગમાં સરપ્રાઈઝન ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન આરોગ્ય વિભાગના કોમ્પ્યુટરના પરથી વિરોધ પક્ષના નેતા અને કોગ્રેસ શહેર પ્રમુખે રોગચાળાના આંકડા મેળવ્યા હતા.
કોંગ્રેસને આરોગ્ય વિભાગના આંકડાઓ મુબજ 15 દિવસમાંડેન્ગ્યુના 615 કેસ નોધાયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે આ આંકડા મીડિયા સામે જાહેર કરીને સત્તાધારી ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ મહાનગર પાલિકાના સત્તાધીશોડેન્ગ્યુના આંકડા છૂપાવી રહ્યા છે.
સત્તા પક્ષે કોંગ્રેસના આંકડાનું કર્યું ખંડન
એક તરફ કોંગ્રેસ રોગચાળાના આંકડાને સત્તા પક્ષ સામે હથિયાર બનાવીને ઉગામી રહી હતી તો બીજી તરફ કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપવા રાજકોટના મેયર બિનાબેન આચાર્યે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આ પ્રેસ કોન્ફરન્સમાં કોગ્રેસના આરોપોનુ ખંડન કર્યુ અને કહ્યં કે, જાન્યુઆરીથી લઈ 15 ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના માત્ર 341 કેસ નોંધાયા છે. તેમણે કોંગ્રેસ ખોટા આંકડા જાહેર કરી લોકોમાં ગેરસમજ ઉભી કરી રહી હોવાનો આક્ષેપ પણ મઢી દીધો હતો.
જ્યારે એક તરફ રાજકોટ મહાનગર પાલિકાના સત્તાધીશો અને વિપક્ષો ડેંગ્યૂના કેસોના આંકડા પર રાજનીતિ કરી રહ્યા હતા ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડેગ્યુની સારવાર લઈ રહેલી 11 વર્ષીય તરુણીએ દમ તોડી દીધો હતો. કદાચ આ ઘટના રાજકોટના શાસકોને અને જનપ્રતિનિધિઓને રાજનીતિ બંધ કરી સારવાર સુવિધા માટે એક જૂથથવાનં સૂચવી રહી હતી..