રાજ્યમાં ડેંગીનો કહેર યથાવત છે. સુરત, રાજકોટ અને વડોદરા સહિતમાં ડેંગીના દર્દીઓ વધી રહ્યાં છે. સુરતમાં શંકાસ્પદ ડેંગીથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. એટલે ગત વર્ષની સરખામણીએ સુરતમાં આ વર્ષે ડેંગીના દર્દીઓ વધ્યા છે. અમદાવાદમાં પણ નવેમ્બરના 16 દિવસમાં 454 કેસ નોંધાયા છે.
રાજકોટમાં ડેંગીથી અત્યારસુધી 13 લોકોના મોત
સુરતમાં હાલત ગંભીર
વડોદરામાં ડેંગીથી 3 દિવસમાં 4 લોકોના મોત
અમદાવાદમાં ડેંગીએ માઝા મુકી
ગત વર્ષમાં અમદાવાદમાં નવેમ્બર મહિનામાં 332 ડેંગીના કેસ નોંધાયા હતા જેની સામે આ વર્ષે 15 જ દિવસમાં 454 ડેંગીના કેસ નોંધાયા છે એટલે કે 30 જણા ડેંગીની ઝપેટમાં આવે છે.
સુરતમાં હાલત ગંભીર
સુરતમાં વર્ષ 2018માં નવી સિવિલમાં 680 ડેંગીના કેસ નોંધાયા હતા. જ્યારે 2019માં 1228 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. સુરતમાં શંકાસ્પદ ડેંગીથી અત્યાર સુધી 4ના મોત થયા છે.
સુરતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેંગીના દર્દી વધ્યા છે.
વડોદરામાં ડેંગીથી 3 દિવસમાં 4 લોકોના મોત
વડોદરામાં પણ ડેંગીથી 3 દિવસમાં ચાર લોકોના મોત થયા છે અને અત્યાર સુધી 894 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ડેંગીનું પ્રમાણ વધ્યું છે.
રાજકોટમાં ડેંગીથી અત્યારસુધી 13 લોકોના મોત
જ્યારે રાજકોટમાં ડેંગીથી વધુ એકનું મોત થયું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે. રાજકોટમાં 13 લોકોના મોત નિપજ્યા છે. અને વધુ 53 કેસ નોંધાયા છે.