કેન્દ્ર સરકારે દેશની ત્રણ મોટી બેંકોને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. નાણાકીય સેવાના સચિવ રાજીવ કુમારે જણાવ્યું છે કે દેના બેંક બેંક ઓફ બરોડા અને વિજયા બેંકનું વિલય કરવામાં આવશે. જે દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે.
બેંકિંગ સેક્ટરમાં સુધાર માટે પ્રભાવી પગલા લેવામાં આવશે. બેંકિંગ સેક્ટરમાં મૂળભુત સુધાર કરવામાં આવશે. વિલય પર ચર્ચા કરતાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે કર્મચારીઓએ આ વિલયથી ચિંતા કરવાની જરૂર નથી. કોઇપણ કર્મચારીને કોઇપણ મુશ્કેલી પડશે નહીં તેઓએ કહ્યું કે તમામ કર્મચારી માટે આ સારી ખબર છે.
એનપીએ પર જેટલીએ જણાવ્યું કે 2008 પહેલા 18 લાખ કરોડની લોન હતી. 2008 થી 1024 બાદ આ 55 લાખ કરોડ પહોંચી જશે. 2008 થી 2018ની વચ્ચે વધારે લોનને અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી. યૂપીએ સરકારે એનપીએને છુપાવવાનો પ્રયત્ન કર્યો. જાણકારી પ્રમાણે એનપીએ 7.5 લાખ કરોડનો હતો પરંતુ 2.5 લાખ કરોડ માટે સૂચના આપવામાં આવી.
કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે એનપીએની વાસ્તવિક તસવીર તો 2015માં સામે આવી છે યુપીએની સરકારએ એનપીએને કાર્પેટની નીચે છૂપાવી રાખ્યો હતો.