રાજકોટમાં કોળી સમાજનાં સંમેલનમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા,પૂર્વ સાંસદ દેવજી ફતેપરા રહ્યા ઉપસ્થિત. સોમવારે કોંગ્રેસે બોલાવ્યું બ્રહ્મ સમાજનું સંમેલન.
ચૂંટણી પહેલા સામાજિક 'તાપણા',કેટલા 'આપણા'?
રવિવારે કોળી સમાજ મળ્યો, સોમવારે બ્રહ્મસમાજ
સામાજિક સંમેલનોની'એપી સેન્ટર'બનતું સૌરાષ્ટ્ર
વિધાનસભા-2022ની ચૂંટણીનાં સંદર્ભમાં ( અપેક્ષા સમયસર, વહેલી પણ થાય ) સમાજની સીડીએ ચઢીને ફરી 'ખુરશી ગ્રહણ'નો તખ્તો છેલ્લા બે મહિનાથી જુદા-જુદા સમાજના આગેવાનો ઘડી રહ્યા છે. રાજકોટમાં આવું જ એક વધુ સંમેલન કોળી સમાજનું મળ્યું હતું . રાજ્યના પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા,પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે,મહિના અગાઉ કુંવરજી બાવળીયાએ અમરેલીના જાફરાબાદમાં પણ સમાજનું સંમેલન બોલાવ્યું હતું.આ સંમેલન બાદ તુરત જ કોળી સમાજના મોભી મનાતા,ભાજપના દિગ્ગજ 'સોલંકી' બંધુઓએ પણ રાજુલા-જાફરા બાદનો 'લાકડીયો' પ્રવાસ ગોઠવી નાખ્યો હતો. પ્રવર્તમાન પરિસ્થિતિઓ અને ભાજપના નેતાઓના સમાજ સંપર્ક એ ઇશારા તરફ મજબૂરી અને મજબૂતીથી દોરી જાય છે કે, ચૂંટણી સમય કરતા વહેલી આવી રહી છે.
ખોડલધામ-પાટીદાર સંમેલન
સૌરાષ્ટ્રમાં સામાજિક સંમેલન થવા નવી વાત નથી,પણ ચૂંટણીનાં મહિનાઓ પહેલા સંમેલનો યોજાવા પાછળ ઘણા ગણિત હોય છે. ખોડલધામમાં પાંચ વર્ષ પહેલા નિર્માણ પામેલા આસ્થાના ધામ માં ખોડલ ધામથી સમાજિક યાત્રાના મંડાણ થયા છે. ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલથી થયા છે. નરેશ પટેલે 2022માં થનારી ચૂંટણીમાં ભાજપ પાસે પાટીદાર મુખ્યમંત્રીની માંગ કરી,ગુજરાતની સ્થિર રાજનીતિના બે મહિનામાં જ રાજ્યની સરકારનાં 'ચહેરા' અને 'મહોરા' બદલાઈ ગયા.
અન્ય સામાજિક સંમેલન
પાટીદાર સમાજ બાદ, કોળી સમાજ,ઠાકોર સમાજ. દલિત સમુદાયનાં સામાજિક સંમેલન મળી ચુક્યા છે. રાજકોટમાં વધુ એક વાર કુંવરજી બાવળીયા, દેવજી ફતેપરાએ, શિયાળાની કડકડતી ઠંડીમાં 'તાપણું' કરી સમાજમાં અંદર ધધકતી આગને ચૂંટણી સુધી એવી જ રાખવા પ્રયત્ન કર્યો છે.
કોળી સમાજનું બીજું સંમેલન
ભાજપના જ પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ પાર્ટી પર નિશાન સાધતા સારા જાહેર કહ્યું કે, ,અમને એ દેખાય છે કે ભાજપ અમને અન્યાય કરે છે. ભાજપ અને કોંગ્રેસ બંને જાણે છે કે કુંવરજીભાઇ અને દેવજીભાઈ ફતેપરાની તાકાત શી છે ? આજના સામાજિક વધુ અને બિન રાજકીય એવા સંમેલનમાં નગરસેવક બાબુભાઇ ઉધરેજા, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ નગરસેવકો અને સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને કોંગ્રેસ-ભાજપના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાલે રાજકોટના કોંગ્રેસ ભવનમાં બ્રહ્મ સમાજની બેઠક
એક તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રનું ખેડાણ કરી, પાર્ટીનો પાયો મજબૂત કરવા કવાયદ કરી રહ્યા છે.તો બીજી બાજુ ફતેપરાના નિવેદનથી કમસે કમ સૌરાષ્ટ્રમાં બધું બરાબર નાં હોવાના સંકેત મળી રહ્યા છે. હવે સોમવારે રાજકોટના કોંગ્રેસ ભવનમાં બ્રહ્મ સમાજની મહત્વની બેઠક મળશે. આ બેઠક માટે કોંગ્રેસે રાજ્યભરના બ્રહ્મ સમાજના અગ્રણીઓને આમંત્રણ આપ્યું છે. આ બેઠકમાં ચૂંટણીની વ્યૂહરચના અને ટિકિટ સહિતના મુદ્દે મંથન થશે.
વહેલી ચૂંટણીનો ચકરાવો છે સામાજિક સંમેલન ?
ભાજપ.અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ ભલે, રાજ્યની અલગ-અલગ સભાઓમાં કહે કે, ચૂંટણી સમયસર થશે. પરંતુ સરકારની ગતિવિધિઓનો ઈશારો અને સામાજિક સંમેલનોથી રાજ્યની જનતાને 'હવામાન'થોડું એ રીતે 'અકળ'લાગે છે કે 'વરતારો'જુદો હશે. દરેક સમાજના દરેક નેતા અત્યારે જે પક્ષમાં છે તેમાં સામાજિક સંમેલનથી 'એડી-ચોટીનું જોર' લગાવે છે. જો બધું સમુ-સુતરું પાર ઉતરે, તો ઠીક છે, નહિ તો પછી પવન પ્રમાણે પીઠ ફેરવવાની 'સાધ્ય' કલા તો હસ્તગત છે જ. ટૂંક સમયમાં જ આવા વાતાવરણનાં એંધાણ મળશે તેમ પણ લોકમુખે ચર્ચાય છે