છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર પુરો થયા બાદ હવે બધાની નજર મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર પર છે. 28 નવેમ્બરના રોજ રાજ્યમાં થનારા મતદાન પર બધી પાર્ટીઓ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ રાજ્યમાં બે જિલ્લાઓમાં ચૂંટણી રેલીને સંબોધન કરી રહ્યાં છે.
પીએમ મોદીએ ઝાંબુઆમાં જનસભાને સંબોધન કરતાં નોટબંધી પર કહ્યું કે આ દેશને ભ્રષ્ટાચારે બરબાદ કરી નાંખ્યો છે. કોઇપણ કામ માટે રૂપિયા માગે છે પૈસા આપ્યા વગર કોઇ કામ થતું નથી શું આ બિમારીથી દેશને બહાર કાઢવો જોઇએ?
જો ઘરમાં ઊધઇ લાગી જાય છે તો ઝેરી દવા છાંટવી પડે છે. ભારતમાં કોંગ્રેસના કાર્યકાળમાં એવો ભ્રષ્ટાચાર વધ્યો કે નોટબંધી જેવી કડક દવાનો ઉપયોગ કરવો પડ્યો. પીએમ મોદીએ કહ્યું કે સરકાર ઉઠાવેલું પગલું જોવો કે બધાને બેન્કોમાં પૈસા જમા કરવા મજબૂર કરી દીધા.
આજે દેશભરમાં જે ઘર સ્કૂલ હોસ્પિટલ બની રહી છે તે બધા પૈસા પહેલા બેડની નીચે છુપાવીને રાખતા હતા અને વિકાસના કાર્યમાં કામ લાગી રહ્યાં છે. તેમને પરેશાની થઇ રહી છે.
તેઓ ચાર દિવાલ ઉભી કરતાં રહ્યાં અને અમે ઘર બનાવતાં રહ્યાં. અમે મોટી સંખ્યમાં બેઘર લોકોને આવાસ પ્રદાન કર્યાં. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ એટલે અમારા વિરુધ્ધ છે કે અમે 50 વર્ષમાં લૂંટ લેવાની પધ્ધતિ પર રોક લગાવી એટલે પરેશાન છે.
અમારી સરકારનો સંકલ્પ છે કે દેશમાં એકપણ ગરીબ એવો ન રહેવો જોઇએ જેની પાસે પોતાનું પાક્કુ ઘર ના હોય. કેન્દ્ર સરકાર ગરીબો માટે આયુષ્માન યોજના લાવી.