નોટબંધી દરમિયાન હજારો જ્વેલર્સ દ્વારા કરવામાં આવેલા સ્કેમને નાણા મંત્રાલય દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જે જ્વેલર્સ દ્વારા મહિનામાં 2 થી 3 લાખ રૂપિયા જમા કરાવતાં હતા, તે જ્વેલર્સો દ્વારા નોટબંધી દરમિયાન કરોડો રૂપિયા જમા કરાવામાં આવ્યાં છે.
નોટબંધી દરમિયાન સુરતના ઝવેરીઓની ગોલમાલ સામે આવી
વાર્ષિક આવક ઓછી બતાવી,કરોડો જમા કરાવ્યાનું ખુલ્યું
ઇન્કમ ટેક્સની વિગતો બાદ નાણા મંત્રાલયની તપાસ તેજ
નોટબંધી દરમિયાન કરેલા કૌભાંડો અને ષડયંત્રોનો ધીરે-ધીરે પર્દાફાશ થઇ રહ્યો છે. નોટબંધી દરમિયાન બેંકોમાં રોકડ જમા કરવાને લઇ ઘણી અનિયમિતતા સામે આવી છે. તેમા સૌથી હેરાન કરી દેનારો મામલો સુરતથી સામે આવ્યો છે.
જેમાં એક ઝવેરીએ નોટબંધી દરમિયાન 4.14 કરોડ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા. ત્યારે તેના એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં સુરતના ઝવેરીની જમા રકમ 44 હજાર 260 હતી. એટલે કે નોટબંધી દરમિયાન આ ઝવેરીની આવકમાં 93 હજાર 648 ગણો વધારો સામે આવ્યો છે.
આ ઝવેરીની વાર્ષિક આવક માત્ર 1.16 લાખ હતી જ્યારે તેને ત્રણ દિવસમાં 4.14 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારે આંકડાઓના વિશ્લેષણની સાથે જ નાણા મંત્રાલયે આ મામલામાં તપાસ તેજ કરી દીધી છે.
નાણા મંત્રાલયની તપાસમાં સામે આવ્યું કે દેશના કેટલાક ઝવેરીઓએ નોટબંધી દરમિયાન બેંકોમાં મોટી રકમ જમા કરાવી હતી. તપાસ દરમિયાન આ વેપારીઓ વર્ષ 2017-18માં આવકવેરા વિભાગને આ લેણ-દેણની કોઇ જાણકારી ન હતી આપી. કેટલાક ઝવેરીઓ જેમને પોતાની આવક 5 લાખથી ઓછી બતાવી હતી તેઓએ નોટબંધી દરમિયાન 2થી 3 દિવસમાં જ કરોડો રૂપિયા જમા કરાવી દીધા હતા.