ક્યારેક-ક્યારેક તમે કહાનીમાં સાંભળો છો કે હજારો વર્ષ પહેલા આ પૃથ્વી પર રાક્ષસો રહેતા હતા. પરંતુ આજના સમયમાં તેના પર કોઈ પણ વિશ્વાસ કરતુ નથી. જો કે, પૌરાણિક કથાઓમાં અવાર-નવાર એવુ સાંભળવા મળે છે. આવો જ એક મામલો જાપાનથી સામે આવ્યો છે.
જાપાનમાં ધ કિલિંગ સ્ટોન એક જ્વાળામુખી પત્થર
પત્થરમાં એક ખરાબ આત્માનો છે વાસ
આ પત્થરના સંપર્કમાં જે આવે છે તે તેને મારી નાખે છે
પત્થરમાં નકારાત્મક આત્માનો વાસ છે: માન્યતા
એક પ્રાચીન જાપાની પથ્થરમાં હજાર વર્ષ પહેલા રાક્ષસ કેદ હોવાનો દાવો કરવામાં આવતો હતો. હવે તે રહસ્યમયી રીતે બે ભાગમાં વિભાજીત થયો છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે આસુરી શક્તિઓના કારણે આવુ થયુ. મીડિયાના એક રિપોર્ટ મુજબ, સેશો-સેકી ઉર્ફ ધ કિલિંગ સ્ટોન એક જ્વાળામુખી પત્થર છે. માનવામાં આવે છે કે આ પત્થરમાં એક ખરાબ આત્મા છે અને સેન્ટ્રલ જાપાનમાં એક સક્રિય જ્વાળામુખી પર બેસે છે. આ જગ્યા ટોક્યોથી વધુ દૂર નથી. જાપાની પૌરાણિક કથાઓ મુજબ, એવુ માનવામાં આવે છે કે પત્થરની અંદર એક નકારાત્મક આત્માનો વાસ છે અને આ આત્મા એટલી શક્તિશાળી છે કે જે પણ તેના સંપર્કમાં આવે છે તે તેને મારી નાખે છે.
બે ભાગમાં પત્થર વિભાજીત થયો
5 માર્ચે પત્થરને બે ભાગમાં વહેંચ્યા બાદ જાપાની સ્થાનિક લોકો અને ઑનલાઈન યુઝર્સે આ વાત પર ચિંતા દર્શાવી છે કે પત્થરથી સતત ઝેરીલી ગેસ નિકળી રહી છે. કહેવામાં આવે છે કે કિલિંગ સ્ટોનમાં તમામ નો-માઈની લાશ હતી. જે એક સુંદર મહિલાના રૂપમાં દેખાતી હતી. પરંતુ બાદમાં નવ પૂંછડીવાળી લોમડીના સ્વરૂપે સામે આવી.