બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા વધી રહી છે. અહીયા ફરી મંદિરોમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે. સાથેજ અત્યાર સુધીમાં અહિયા કુલ 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
બાંગ્લાદેશના હિંન્દુ મંદિરોમાં ફરી તોડફોડ
હિંસામાં પોલીસ સહિત 40 લોકો ઘાયલ
અલ્પલસંખ્યકો હવે અનશન પપર ઉતરશે
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસા અટકાવનું નામજ નથી લઈ રહી. આજે ફરી અહીયાના મંદિરોમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે. માત્ર હિન્દુંજ નહી પરંત મોટા ભાગના અલ્પસંખ્યક સમૂહોને અહીયા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
જવાબદારો સામે લેવાશે કડક પગલા
પરિસ્થિતી અહીયા એટલી વણસી ગઇ છે કે હિન્દુ, બૌધ્ધ, અને ખ્રિસ્તિ એકતા પરિષદે હવે અહીયા 23 ઓક્ટોબરથી ભૂખ હડતાલ પર જાવનું એલાન કર્યું છે. બીજી તરફ અહીયાના વડાપ્રધાન શેખ હસિના પણ કડક પગલા લેવાની વાત કરી રહ્યા છે. લોકોની એવી માગ છે જલ્દીથી જવાબદારો સામે કાયદેસરના પગલા લેવામાં આવે નહીતો અહીયાના લોકો મોટું આંદોલન કરવાના છે.
અત્યાર સુધીમાં 6 લોકોના મોત
બાંગ્લાદેશના દરેક જિલ્લાઓમાં હિન્દુઓ સામે હિંસા થઈ રહી છે. કુરાનના કથિત અપમાનને લઈને કટ્ટરપંથીઓ હિન્દૂ સમુદાયને ટાર્ગેટ કરી રહ્યા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સાથેજ ઘણા હિન્દુ મંદિરોમાં તોડફોડ પણ કરવામાં આવી છે. જેને લઈને હવે અલપસંખ્યકો અહીયા અનશન પર ઉતરવાના છે,
પોલીસ સહિત 40 લોકો ઘાયલ
બાંગ્લાદેશની રાજધાની ઢાંકાથી 157 કિમી દૂર ફેનીમાં ગત શનિવારે હિન્દુ મંદિરોમાં તોડફોડ થઈ હતી. આ હિંસામાં પોલીસ કર્મચારીઓ સહિત કુલ 40 લોકો ઘાયલ પણ થયા હતા. સાંજે 4.30 વાગ્યાથી લઈને અડધી રાત સુધી અહિયા હિંસા ચાલી હતી. જેમા આરોપીઓ હિન્દુઓ સાથે બર્બરતા કરી સાથેજ તેમની સાથે લૂંટફાટ પણ કરી હતી.