બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલમાં અમુક અસામજિક તત્વોએ તોડફોડ કરી જેના કારણે અહીયા ભારે હિંસા ફાટી નીકળતા 3 લોકોના મોત થયા છે. જેથી 22 જિલ્લાઓમાં પેરામિલટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલમાં તોડફોડ
મૂર્તિઓ તૂટતા ભારે હિંસા ફાટી નીકળી
હિંસામાં 3 લોકોના કરૂણ મોત
પરિસ્થિતી કાબૂ કરવા 22 જિલ્લામાં પેરામિલટ્રી ફોર્મ તૈનાત
પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશમાં પણ મંદિરમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. અહીયા દુર્ગાપૂજા વખતે અમુક કટ્ટરપંથિઓ દ્વારા મંદિરમાં તોડફોડ કરવામાં આવી જેના કારણે અહીયા અમુક જિલ્લાઓમાં તોફાન ફાટી નિકળ્યા છે. જેમા 3 લોકોના મોત થઈ ગયા જેના કારણે પરિસ્થિતી પર કાબૂ મેળવવા 22 જિલ્લાઓમાં પેરામિલટ્રી ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.
કટ્ટરપંથીઓએ મંદિરમાં નિશાન સાધ્યું
સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે અફવાઓને કારણે અમુક કટ્ટરપંથીઓએ મંદિર પર નિશાન સાધ્યું જ્યા ભારે હિંસા થઈ હતી. જેથી પોલીસ અને પ્રશાસને પરિસ્થિતી કાબૂમાં લાવવા પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં ચાંદપુરના હાજીગંજ, ચટ્ટોગ્રામના બંશખલી અને ફોક્સ બજાપના પેકુઆ મંદિરમાં તોફોડની ઘટનાઓ સામે આવી છે.
22 જિલ્લામાં પેરામિલટ્રી ફોર્સ તૈનાત
પોલીસ અને પ્રશાસન કાયદો વ્યવસ્થા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ પરિસ્થિતી કાબૂની બહાર જતા રહેતા પેરામિલટ્રી ફોર્સને કુલ 22 જિલ્લાઓમાં હવે પેરામિલટ્રી તૈનાત કરી દેવામાં આવી છે. કારણે હિંસા એટલી હદે વધી ગઈ હતી કે પોલીસ અને જનતા આમને સામંને આવી ગયા હતા. જે ઘટનામાં 3 લોકોના મોત થયા છે.
જવાબદારો છોડવામાં નહી આવે: શેખ હસિના
ઉલ્લેખનીય છે કે દુર્ગા પૂજા વખતે આ હુમલો થવાને કારણે બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાએ પણ આ ઘટનાને શર્મશાર ગણાવી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે આ ઘટના પાછળ જે પણ જવાબદાર હશે તેનો છોડવામાં નગી આવે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે આરોપીઓ ગમે તે ધર્મના હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરરવામાં આવશે.