એસિડ ગટગટાવી કર્યો આપઘાત
માણાવદરમાં બાંટવા રોડ પર સરકાર દ્વારા રિવર ફ્રન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં નદી કાઢે આવેલા સરકારી જમીન પર આવેલા મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. અહી આખી જિંદગી કાઢી ચૂકેલા દેવુંબેન નાનુભાઈ સોલંકી નામની વૃદ્ધ મહિલાને પોતાનું જીવન મૂડીનું ઘર ગુમાવવાનો વારો આવ્યો હતો.જેથી તેમને ઘણી વખત સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી પણ કોઈ ન સાંભળતા વૃદ્ધ મહિલાએ જીવન ટુકાવી નાખતા એરેરાટી વ્યાપી છે. એસિડ પીધા બાદ મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ મૃત ઘોષિત કરવામાં આવતા પરિવારના ઘરના સાથે મોભી ગુમાવવાનો પણ વારો આવ્યો છે.હાલ તો પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
શું કહેવું છે મૃતક વૃદ્ધાના દીકરાનું?
અમે 3 ભાઈઓ અલગ અલગ ઝુંપડા વાળી 40 વર્ષથી અહિયાં રહેતા હતા. પણ રિવર ફ્રન્ટની કામગીરીમાં અમારા મકાન પાડી દેવાતા અમે રોડ પર આવી ગયા, મારી બાને આ કારણે ખૂબ જ આઘાત લાગ્યો. અમારું દીકરીઓ વાળું ઘર છે એટલે તે સતત ચિંતામાં રહેતા હતા કે હવે શું થશે. કયા રહીશું જેથી વધુ આઘાત લાગતાં તેમણે એસીડ પી જીવન ટુકાવી લીધું.