સુરતના પાલ ઉમરા બ્રીજને લઈને વિવાદ સામે આવ્યો છે. નડતરરૂપ મકાનોને ખસેડવાની કામગીરી સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 4 વર્ષથી બ્રીજ એક છેડે બનીને તૈયાર છે. માત્ર 5 જેટલા અસરગ્રસ્તો વિરોધ કરી રહ્યા છે
સુરતના પાલ-ઉમરા બ્રીજનો વિવાદ
મહાપાલિકાની ટીમ મકાન હટાવવા પહોંચી
4 વર્ષથી એક છેડાનો બ્રીજ બનીને તૈયાર છે
SMC વળતર આપવા તૈયાર છે પરંતુ અસરગ્રસ્તોને વળતર મંજૂર નથી ત્યારે 5 મકાનોને તોડી પાડવા મહાપાલિકાની ટીમ પહોંચી છે. મહાપાલિકાની ટીમ પહોંચતા અસરગ્રસ્તોનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
સુરતમાંથી પસાર થતી તાપી નદી પર પાલ ઉમરા વચ્ચે પાંચ વર્ષ પહલા શરૂ થયેલા બ્રિજ બનાવવાની કામગીરી હજી પણ પુરી નથી થઈ. આ બ્રિજને ઉમરા તરફના એપ્રોચમાં આવતી મિલ્કત દુર થઈ ન હોવાથી હજી પણ આ કામગીરી ઘોંચમાં પડી છે.
બ્રિજની કામગીરી હાલ 91 ટકા પુરી થઈ
2015માં શરૂ થયેલા બ્રિજની કામગીરી હાલ 91 ટકા પુરી થઈ છે પરંતુ હજી પણ 9 ટકા કામગીરી બાકી છે. શાસકોએ તાત્કાલિક પાલ ઉમરા બ્રિજને ઝડપભેર પુરો કરવા માટેની સુચના આપી દીધી છે.
હજી પણ મિલ્કતદારોએ ડિમોલીશન નહી કરતાં બ્રિજની કામગીરી અટકી પડી
બ્રિજના એપ્રોચમાં આવતી મિલ્કત મુદ્દે કોર્ટમાં સમાધાન થયાં છતાં હજી પણ મિલ્કત દુર થઈ નથી. તો બીજી તરફ આ બ્રિજ બનાવવા માટે શાસકોએ આદેશ આપ્યો હોવાથી બ્રિજ વિભાગે મિલ્કતના ડિમોલીશનની કામગીરી બાજુએ મુકીને બાજુની જગ્યામાં કામગીરી આજથી શરૂ કરી દીધી છે. તાપી નદી પર પાલ અને ઉમરા બ્રિજ વચ્ચે ઉમરાની કેટલીક મિલ્કતો મુદ્દે વિવાદ ઉભો થતાં મિલ્કતદારો કોર્ટમાં ગયાં હતા. થોડા મહિનાઓ પહેલા મ્યુનિ. તંત્ર અને અસરગ્રસ્તો વચ્ચે કોર્ટમાં સમાધાન થયું હતું. આ સમાધાન બાદ મિલ્કતદારોની મિલ્કતનું ડિમોલીશન કરવાનું હતું પરંતુ કોરોના- લોક ડાઉનના કારણે કામગીરી બંધ રહી હતી હજી પણ મિલ્કતદારોએ ડિમોલીશન નહી કરતાં બ્રિજની કામગીરી અટકી પડી છે.