આધાર અપડેટ કરાવવા માટે સરકારે મોટી રાહત આપી છે. હવે કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા પણ આધાર અપડેટ કરાવી શકાય છે. UIDAIએ લગભગ 20 હજાર કોમન સર્વિસ સેન્ટરને આધાર અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ આ કામ બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ દ્વારા કરવામાં આવતું હતું. આ તમામ સેન્ટર્સ પર આધાર અપડેટ કરવાની તૈયારી ચાલી રહી છે.
આધારધારકો માટે આવ્યા સારાં સમચાર
UIDAIએ આપી આ ખાસ સુવિધા
હવે આધાર અપડેટ કરાવવા બેંક નહીં જવું પડે
UIDAIએ સોમવારે જાણકારી આપી હતી કે, હવે કોમન સર્વિસ સેન્ટર દ્વારા પણણ આધાર અપડેટ કરી શકાય છે. UIDAIએ સીએસસીની ઈ-પ્રશાસન સેવાઓના સીઈઓ દિનેશ ત્યાગીને લખેલાં પત્રમાં કહ્યું- આધારમાં માત્ર ડેમોગ્રાફિક ડેટાની સુવિધાને જ મંજૂરી આપવામાં આવશે. સેન્ટર સંચાલકો અને આધાર યુઝર્સની ઓળખ ફિંગરપ્રિન્ટ્સ અને આંખની કીકી દ્વારા કરવામાં આવશે.
To make Aadhaar updating easier for citizens, @UIDAI has permitted @CSCegov_ which are designated banking correspondents of banks, to offer #Aadhaar update services. Around 20,000 such CSCs will now be able to offer this service to citizens.
UIDAIએ કહ્યું કે, આ સુવિધા માટે જૂનના અંત સુધી સિસ્ટમ તૈયાર થવાની આશા છે. સીએસસીથી બાળકોનું બાયોમેટ્રિક્સ વિગતો અપડેટ કરવામાં આવશે અને એડ્રેસમાં પણ ચેન્જિસ થઈ શકશે. તેના માટે સેન્ટર સંચાલકોએ પોલીસ વેરિફિકેશન રિપોર્ટ જમા કરાવવી પડશે. જે 3 મહિનાથી વધુ જૂની ન હોવી જોઈએ.
રવિશંકર પ્રસાદે પણ આપી જાણકારી
માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદ અને આઇટી રાજ્યમંત્રી સંજય ધોત્રીએ સોશિયલ મીડિયા પર UIDAI દ્વારા સીએસસીને મંજૂરી આપવા વિશે જણાવ્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે સીએસસીના ઓપરેટર UIDAIની સૂચના મુજબ આધારનું કામ શરૂ કરે. પ્રસાદે કહ્યું, 'મને ખાતરી છે કે આ સુવિધા શરૂ થવાથી મોટી સંખ્યામાં ગ્રામીણ નાગરિકોને તેમના નિવાસ સ્થાનની નજીક આધાર સેવા મેળવવામાં મદદ કરશે.