નવી દિલ્હીઃ સરકારી બેંકોના કર્મચારી અને અધિકારીઓ 30 મેના રોજથી બે દિવસીય દેશવ્યાપી હડતાળ કરશે. તેમનો વિરોધ પગારમાં 2 ટકાના વધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ 5 મેના રોજ થયેલ બેઠકમાં લવાયો હતો. જેમાં 31 માર્ચ 2017 સુધી વેજ બિલ કોસ્ટમાં 2 ટકાના વધારાની જોગવાઈ કરવામાં આવી છે. બેંક યૂનિયનને આ જોગવાઇ પસંદ આવી નહીં.
યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયનના સંયોજક દેવીદાસ તુલજાપુરકરના પત્રકારોને સંબોધિત કરતા કહ્યું કે 'બેંકોને જે પણ નુકસાન થઇ રહ્યું છે તે તેના બેડ લોન વધવાના કારણે થઇ રહ્યું છે. એટલા માટે કોઇ પણ બેંક કર્મચારી જવાબદાર નથી.'
તેમણે કહ્યું કે છેલ્લા બે-ત્રણ વર્ષથી બેંક કર્મચારી સતત વગર અટક્યે અને થાક્યે સરકારી યોજનાઓને લાગૂ કરવા માટે કામ કરી રહ્યા છે. આ દરમિયાન બેંક કર્મચારીઓને જન-ધન નોટબંધી મુદ્રા યોજના અને અટલ પેન્શન યોજના સહિત અન્ય યોજનાઓને યોગ્યરીતે ચલાવવામાં મહત્વની ભૂમિકા અદા કરાઇ છે. આના કારણે કર્માચારીઓ પર કામનું ભારણ વધ્યું છે.
છેલ્લી પગાર જોગવાઇમાં આઇબીએના 15 ટકા પગાર વધારનો પ્રસ્તાવ આપ્યો હતો. અહીં નવેમ્બર 1 2012થી 31 ઓક્ટોબર 2017 વચ્ચેની આ મર્યાદા માટે લાવવામાં આવ્યો હતો. હડતાલ પહેલા બેંક કર્મચારી 29 મેના રોજ ભારતીય સ્ટેટ બેંકની મુંબઇ સ્થિત શાખાની સામે વિરોધ કરશે.
યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયનમાં બેંક કર્મચારીઓની 9 યૂનિયન સામેલ છે. જેમાં ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કંફડરેશન ઓલ ઇન્ડિયા એમ્પ્લોઇઝ એસોશિયએન નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ સહિત અન્ય સામેલ છે.