મહારાજા રણજીત સિંહની ઈચ્છાનુંસાર પુરીના જગન્નાથ મંદિરને કોહિનૂર હીરો આપી દેવામાં આવે. જાણો કોણે અને કયા આધારે કર્યો આ દાવો.
મહારાજા રણજીત સિંહની ઈચ્છા હતી કે જગન્નાથ મંદિરને કોહિનૂર હીરો આપી દેવામાં આવે
સોશિયલ મીડિયા પર જગન્નાથ મંદિર તથા મહારાજા રણજીત સિંહની ચર્ચા
રણજીત સિંહના વસીયત નામામાં જગન્નાથ મંદિરને કોહિનૂર દાન કરવાની વાત
મહારાજા રણજીત સિંહની ઈચ્છા હતી કે જગન્નાથ મંદિરને કોહિનૂર હીરો આપી દેવામાં આવે
આજે આખા દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રસંગે સોશિયલ મીડિયા પર જગન્નાથ મંદિર તથા મહારાજા રણજીત સિંહની પણ ચર્ચા થઈ રહી છે. મનાઈ રહ્યું છે કે મહારાજા રણજીત સિંહની ઈચ્છાનુંસાર પુરીના જગન્નાથ મંદિરને કોહિનૂર હીરો આપી દેવામાં આવે. કોહિનૂરને ભારત લાવવાના પ્રયાસ અનેક સમયથી ચાલી રહ્યા છે અને જો આ પ્રયાસ સફળ થાય તો કોહિનૂર મહારાજા રણજીત સિંહની ઈચ્છાનુસાર પુરીના જગન્નાથ મંદિરને આપવામાં આવશે.
રણજીત સિંહના વસીયત નામામાં જગન્નાથ મંદિરને કોહિનૂર દાન કરવાની વાત
બીજદના સાંસદે રાજ્યસભામાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો કે મહારાજા રણજીત સિંહે કોહિનૂર હીરાને જગન્નાથ મંદિરને આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રણજીત સિંહે પુરીની યાત્રા કરી હતી અને ભગવાન જગન્નાથનો ઉલ્લેખ કર્યો હતો. દાવા મુજબ રાષ્ટ્રીય અભિલેખાગારમાં રાખેલા રણજીત સિંહના વસીયત નામામાં એ સ્પષ્ટ લખાયું છે કે કોહિનૂરને પૂરીના જગન્નાથ મંદિરમાં દાન કરવામાં આવે. ઓડિશા કોંગ્રેસે તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ તરફથી આ દાવો કર્યો હતો કે વારસાઈના દસ્તાવેજની દુર્લભ કોપી તેમની પાસે છે. રણજીત સિંહના વસીયતને આધાર બનાવીને ઓડિશા લાવી જગન્નાથ મંદિરને દાન કરાવમાં આવશે.
કોહિનૂર 105 કેરેટનો ખૂબસુંદર હીરો છે. જેનું કુલ વજન લગભગ 21.6 ગ્રામ છે. પોતાના સમયમાં આ વિશ્વનો સૌથી મોટો હીરો રહી ચૂક્યો છે. મનાય છે કે આ હીરાને કર્ણાટકના ગોલકુંડાની ખાણમાંથી કાઢવામાં આવ્યો હતો. આ હીરો અનેક મુગલ બાદશાહો અને મહારાજા રણજીત સિંહથી પાસેથી પસાર થતો બ્રિટિશ સામ્રાજ્ય સુધી પહોંચ્યો. 1877માં આ હીરો બ્રિટનના ખજાનામાં સામેલ કરવામાં આવ્યો હતો.
હાલ ક્યાં છે કોહિનૂર
1891માં લંડનના હાઈડ પાર્કમાં કોહિનૂરનું પ્રદર્શન લગાવવામાં આવ્યું હતુ. 1852માં આ હીરાને મહારાની વિક્ટોરિયાના પતિ પ્રિન્સ અલબર્ટની ઉપસ્થિતિમાં ફરી નિખારવામાં આવ્યો. આ હીરો ક્વીન મધર્સ ક્રાઉનમાં ઝડીને ટોવર ઓફ લંડનમાં રાખવામાં આવ્યો છે. આની વાપસીને લઈને અનેક પ્રયાસ થયા પરંતુ તમામ નિષ્ફળ રહ્યા છે.