જૂનાગઢ ઉપલા દાતારની જગ્યાના મહંત ક્યારેય પહાડથી નીચે ઉતરતા નથી, એટલે મતદાન કરવા બુથની માંગ કરી
ઉપલા દાતારના મહંતની માગ
જૂનાગઢ ડૂંગર પર મતદાન બુથ આપવા માગ
બુથ ન હોવાથી નથી કરી શકતા મતદાન
જુનાગઢ ઉપલા દાતારનીની જગ્યા કોમી એકતાનું પ્રતીક સમાન છે ત્યારે આઝાદી સમયથી દાતારની જગ્યાના મહંતો મતદાનથી વંચિત રહ્યા છે ત્યારે હાલના મહંતે ચૂંટણી પંચને મતદાન મથક ઉભુ કરવાની અપીલ કરી છે.
ગાદીપતિ ભીમ બાપુએ કરી મતદાનબુથની માંગ
જુનાગઢ ગીરનાર સમીપ ઉપલા દાતારની જગ્યા ખુબ ઊંચાઈ ઉપર આવેલી છે અને ઉપલા દાતારની જગ્યા કોમી એકતાનું પ્રતીક સમાન છે ત્યારે આ જગ્યાના નવાબી સમયમા પેહલા મહંત પટેલ બાપુ હતા તે બ્રહ્નલીન થયા તેની જગ્યાએ વિઠ્ઠલ બાપુ મહંત બન્યા પણ સમય જતા તે પણ બ્રહ્મલીન થતા હાલ ભીમ બાપુ ગાદીપદે બિરાજમાન છે. ઉપલા દાતારની જગ્યા આસન સિદ્ધ તરીકે ઓળખાય છે એટલે ઉપલા દાતાર જગ્યા ના જે પણ મહંત બને એ કોઇ દિવસ જગ્યા છોડીને નીચે ઉતરતા નથી પટેલ બાપૂ અને વિઠ્ઠલ બાપુ દેવ પામ્યા બાદ બંને મહંતની સમાધી પણ જગ્યા મા આપવામા આવી હતી ત્યારે આઝાદી કાળથી જગ્યાના મહંત તમામ મહંતો મતદાનથી વંચિત રહ્યા છે.
પહેલા એક મત માટે મતદાન મથક ઊભું કરાયું હતું
2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી પંચે શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું પર્વ ખરા અર્થમાં સાર્થક બને એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા વર્ષો પહેલા મધ્યગીરમાં આવેલ બાણેજ જગ્યાના મહંત ભરતદાસ બાપૂ માટે એક મત માટે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું પરંતુ ભરતદાસ બાપુનું અવસાન થતા એ મતદાન મથક બંધ થયું ત્યારે હાલના મહંત ભીમ બાપુએ ચૂંટણી પંચને અપીલ કરી છે કે પવિત્ર અને કિંમતી મત આપવાનો અધિકાર દરેક ભારતીય નાગરીક છે. ત્યારે જો ઉપલા દાતારની જગ્યામાં મતદાન મથક ઉભુ કરવામાં આવશે તો ખુશી વ્યક્ત થશે અને મતદારોને પણ અપીલ કરી હતી કે મતદાન કરવું જોઈએ.