દેશમાં હવે રોજના 4 લાખથી વધારે કેસ આવી રહ્યાં છે અને દરરોજ 4 હજારની આસપાસ મોત થઈ રહ્યાં તેથી લોકડાઉન અનિવાર્ય બન્યુ હોવાનું જણાય છે.
રાજસ્થાનના સીએમ ગેહલોતે દેશવ્યાપી લોકડાઉનની કરી માંગ
સુપ્રીમ અને હાઈકોર્ટો પણ લોકડાઉનના પક્ષમાં
રણદીપ ગુલેરિયા અને એન્થની ફાઉચી પણ લોકડાઉનની તરફેણમાં
મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા પ્રતિબંધોને કારણે કેસો ઘટી રહ્યાં છે પરંતુ કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોમાં દરરોજના 50 હજાર કેસો આવી રહ્યાં છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ દેશવ્યાપી લોકડાઉનની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ લોકડાઉનના પક્ષમાં
અલગ અલગ હાઈકોર્ટોની સાથે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉનનો વિચાર કરવાનું જણાવ્યું છે. દેશમાં હાલમાં તો લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાગુ છે.
ત્રીજી લહેર પર ચિંતિત સુપ્રીમ કોર્ટ
દેશમાં સતત વધતાં કોરોના વાયરસના કેસની વચ્ચે ફરી વાર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને અત્યારથી તૈયારીઓ કરવા પર ભાર મૂકવામાં આવ્યો. આ મામલા પર સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે જૉ કાલે ઉઠીને પરિસ્થિતિ ખરાબ થાય તો તમે શું કરશો? રિપોર્ટ કહે છે કે ત્રીજી લહેર તો બાળકો પર પ્રભાવ પાડી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રીજી લહેર માટે શું કરવું જોઈએ તેની તૈયારી અત્યારથી કરી લેવી જોઈએ. યુવાનોમાં વેક્સિન આપવી પડશે. જૉ બાળકોમાં સંક્રમણ થશે તો શું કરશો? કારણ કે બાળકો તો પોતે હોસ્પિટલ ન આવી શકે.
ડૉક્ટરો વધારવા પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું એક આજે દોઢ લાખ ડૉક્ટરો છે જે પરીક્ષા આપવાની તૈયારુંમાં છે અને અઢી લાખ નર્સ તો ઘરોમાં બેથી છે, આ લોકો જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબોટ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અત્યારે જે ડૉક્ટરો કામ કરી રહ્યા છે તેમના પર થાક અને દબાણ વધારે છે.
રાજ્ય સરકારોને પ્રતિબંધોના દિશાનિર્દેશ અપાયેલા જ છે
ડો.વીકે પોલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સંક્રમણની સાંકળ તોડવા રાજ્ય સરકારોને પ્રતિબંધોના દિશાનિર્દેશ આપી ચૂકી છે. તેમણે કહ્યું કે જો સંક્રમણ ઘણુ વધે તો ચેન તોડવા માટે પ્રતિબંધ લગાડાય છે, લોકોની અવરજવર રોકવામાં આવે છે.
જરુર પડી તો બીજા વિકલ્પો પર વિચાર કરાશે
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સ્થાનિક પરિસ્થિતિની સમિક્ષા કરીને નિર્ણય લઈ શકે છે. આ ગાઈડલાઈનની ઉપરાંત જો બીજું કંઈ કરવાની જરુર પડી તો તે વિકલ્પો પર પણ વિચાર કરાય છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું કે દેશવ્યાપી લોકડાઉન લગાડવાની મોદી સરકારની કોઈ યોજના નથી. પરંતુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના પ્રતિબંધો વધુ મજબૂત કરવાનો આદેશ આપ્યો છે.