બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસનો મામલો, પીડિતો તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી, કરી મોટી માગ
Last Updated: 09:26 AM, 20 April 2025
મોરબી ઝૂલતા પુલ દર્ઘટના કેસમાં CBI તપાસની માંગ કરવામાં આવી છે. 112 પીડિતો તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે.. સુપ્રીમ કોર્ટે કેસમાં તમામ પક્ષકારોને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે સરકાર, CBI, કલેક્ટર, નગરપાલિકા અને અજન્તા કંપનીને નોટિસ મોકલી છે અને સમગ્ર મામલે સંબંધિત પક્ષકારો પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.
ADVERTISEMENT
26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી, પરંતુ તે 5 દિવસની અંદર તૂટી પડ્યો હતો અને 135થી વધુ લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. .
આ પણ વાંચોઃ નવસારીમાં ટેન્કરે પલટી મારતા રસ્તા પર પેટ્રોલ-ડીઝલની નદી વહી! જુઓ વીડિયો
ADVERTISEMENT
મોરબી નગરપાલિકાએ હેન્ગિંગ બ્રિજના રિનોવેશનની કામગીરી દુર્ઘટના ઘટી તેના છ મહિના પહેલાં જ ઓરેવા કંપનીને સોંપી હતી. જેના રિનોવેશન બાદ ગત 26 ઓક્ટોબરે પુલને ખુલ્લો મૂકાયો હતો. આ પુલને ખુલ્લો મૂકતા પૂર્વે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને ઓરેવા કંપનીએ મજબૂત કેબલ અને સ્ટીલનો ઉપયોગ કરીને પુલનું રિનોવેશન કયું હોવાની સુફિયાણી વાતો કરી હતી અને ત્યારબાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હાજરીમાં પુલને ખુલ્લો મૂકાયો હતો, અને માત્ર ચાર દિવસમાંજ 30 ઓક્ટોબરે આ પુલ ધરાશાયી થઇ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.