સુરતમાં ગણેશ ઉત્સવ અને નવરાત્રીની ઉજવણી કરવા માટે લોકોએ બેનરો લગાવીને માગ કરી છે. જેમા લોકોએ ભાજપની યાત્રા સામે બેનર લગાવીને કહ્યુ કે ગણેશ ઉત્સવ અને નવરાત્રી નહી તો વોટ પણ નહી
સુરતમાં તહેવારોની ઉજવણી માટે અલગ રીતે માગ
લોકોએ બેનર લગાવીને ગણેશ ઉત્સવની કરી માગ
પોલીસે રાતોરાત બધા બેનરો ઉતાર્યા
ગણેશ ઉત્સવ અને નવરાત્રી આવી રહ્યા છે. જેની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે. સાથેજ લોકો આશા રાખીને બેઠા છે, કે સરકાર દ્વારા ગણેશ ઉતસ્વ તેમજ નવરાત્રીની મંજૂરી આપવામાં આવે. જોકે આ મુદ્દે સુરતમાં કઈક અલગજ રીતે ગણેશ ઉત્સવને ઉજવવાની માગ કરવામાં આવી છે. જેના કારણે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ભાજપ સામે લગાવ્યા પોસ્ટર
સુરતના નવાપરા ગોલવાડ વિસ્તારમાં લોકોએ ભાજપ સામે પોસ્ટર લગાવીને ગણેશ ઉત્સવ અને નવરાત્રી ઉત્સવને ઉજવવાની માગ કરી છે. લોકોએ એવા પોસ્ટર લગાવ્યા છે કે જેમા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આશીર્વાદ લેવાની યાત્રા નીકળે તો ગણેશજીની યાત્રા કેમ ન નકળી શકે.
ભાજપની યાત્રા સામે કરી માગ
આ પોસ્ટરો આખા સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સાથેજ પોસ્ટર વીશે માહિતી મળતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. સુરતના નવાપરા ગોલવાડ વિસ્તારાનો આ બનાવ છે. જ્યા ગણેશ ઉત્સવ અને નવરાત્રી ઉત્સવને મનવા અહીયા રહેતા લોકોએ કઈક અલગ રીતે માગ કરી છે. આ માગ લોકોએ ભાજપની યાત્રા સામે કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે બેનરો ઉતરાવ્યા
ઉલ્લેખનીય છે કે સ્થાનિક રહીશો દ્વારા બેનરોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે ગણેશ અને નવરાત્રી ઉત્સવ નહી તો વોટ પણ નહી. સુરતના વિવિધ વિસ્તારોમાં રાતના સમયે આ બેનરો લાગ્યા હતા. જે મામલે પોલીસને જાણ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે બધાજ બેનરો નીચે ઉતાર્યા હતા.