સુરતના કિશોર ભજીયાવાલા પર આઇટીએ વધુ સકંજો કસ્યો છે. આઇટીએ રૂ.1500 કરોડના ડિમાન્ડ કેસ સામે રિકવરી કરવા માટે ભજીયાવાલા અને તેના પરિવારના સભ્યોના નામે બોલતી 175 જેટલી મિલકતો પર પ્રોવિઝન એટેચમેન્ટ કરવાની કાર્યવાહી કરી છે.
આઇટીની કાર્યવાહીમાં કિશોર ભજીયાવાલાની 23 મિલક્ત, જીજ્ઞેશ ભજીવાલાની 59, જસ્મીન ભજીયાવાલાની 43, ભજીયાવાલાની 26, વર્ષા ભજીયાવાલાની 21 અને વિલાસની 23 મિલકતો ટાંચમાં લેવાઇ છે. એટલે કે, હવે આ મિલકતો વેચી શકાશે નહીં કે, ટ્રાન્સફર પણ કરી શકાશે નહીં.
ઉલ્લેખીય છે કે, નોટબંધીના સમયગાળામાં ઉધનાના ફાયનાન્સર કિશોર ભજીયાવાલાને ત્યાં આઇટી દરોડા પાડયા હતા અને રૂપિયા એક કરોડથી વધુની રોકડ, સોના-ચાંદીના દાગીના, વાસણો અને પિપલ્સના કેટલાંક લોકર સિઝ કર્યા હતા.
ઉપરાંત પિપલ્સ બેન્ક દ્વારા પણ ભજીયાવાલાને બીજાના નામના લોકર ઓપરેટ કરવાની છુટ આપવામાં આવી હતી. જે બાબત પણ ઘણી જ ચર્ચામાં રહી હતી. હાલ આ પૈકીના કેટલાંક લોકર બેનામી હેઠળ તપાસના દાયરામાં છે. દરોડા બાદ આઇટી ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી અને જીગ્નેશ ભજીયાવાલાની અટકાયત પણ કરાઇ હતી.