એમ્સ અને એનસીડીસીના સ્ટડીનો દાવો છે કે કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિન પછી પણ કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ લોકોને સંક્રમિત કરી શકે છે.
દિલ્હી એમ્સ અને નેશનલ ડિસિઝ કન્ટ્રોલ સેન્ટરના સ્ટડીમાં મોટો દાવો
વેક્સિનના બન્ને ડોઝ લીધા પછી પણ કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ સંક્રમિત કરી શકે છે
ડેલ્ટા વેરિયન્ટ 40 થી 50 ટકા વધારે સંક્રમક
દિલ્હી સ્થિત એમ્સ અને નેશનલ ડિસિઝ કન્ટ્રોલ સેન્ટરના સ્ટડીમાં કહેવાયું કે ડેલ્ટા વેરિયન્ટ આલ્ફા વેરિયન્ટની તુલનામાં 40 થી 50 ટકા વધારે સંક્રમક છે.
એમ્સ આઈજીઆઈબી ઈન્સ્ટીટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીનો સ્ટડી 63 રોગીઓના વિશ્લેષણ પર આધારિત હતો જેમણે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પાંચથી સાત દિવસ સુધી ખૂબ તાવની ફરિયાદ કરી હતી. આ 63 લોકોમાંથી 53 ને કોવેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ અને બાકીનાને કોવિશિલ્ડનો ઓછામાં ઓછી એક ડોઝ અપાયો હતો.
વેક્સિનનો એક ડોઝ લેનાર 76.9 ટકા લોકોમાં ડેલ્ટા વેરિયન્ટનો ખતરો જોવા મળ્યો હતો. તો બન્ને ડોઝ લેનાર 60 ટકા લોકોમાં સંક્રમણ જોવા મળ્યું હતું. બન્ને સ્ટડીના ડેટા પરથી સંકેત મળે છે કે આલ્ફા વેરિયન્ટ પણ કોવિશિલ્ડ અને કોવેક્સિન માટે પ્રતિરોધી સાબિત થઈ શકે છે.
ઘરમાં માસ્ક વગર બોલવું ભારે પડી શકે છે-કોરોનાના સંક્રમણનો ખતરો
અમેરિકાની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાયજેસ્ટિવ એન્ડ કિડની ડિસિઝના એડ્રિયાન બેક્સે જણાવ્યું કે આપણે બધાએ જોયું છે કે જ્યારે લોકો વાતો કરતા હોય છે ત્યારે થૂંકના હજારો ટીંપા ઉડતા હોય છે પરંતુ બીજા પણ એવા અસંખ્ય એવા પણ ટીંપા હોય છે તેને જોઈ શકાતા નથી. સ્ટડીના લેખક બેક્સે જણાવ્યું કે બોલતી વખતે નીકળનાર આ વાયરસયુક્ત ટીંપા જ્યારે પાણીમાં વરાળ બનીને નીકળે છે ત્યારે તે ધુમાડાની જેમ ઘણી મિનિટો સુધી હવામાં તરતા રહે છે જેને કારણે બીજામાં સંક્રમણનો ખતરો પેદા થાય છે.
હવાના માધ્યમ દ્વારા વાયરસયુક્ત ટીંપા ઘણા દૂર સુધી જઈ શકે છે.
તેમણે કહ્યું કે ઘરોમાં ખાવાપીવાનું કામ ચાલતું રહેતું હોય છે અને મોટેથી વાતો થવી પણ સામાન્ય ઘટના છે. તેથી તે વાત જાણીને ચોંકવું ન જોઈએ કે રેસ્ટોરન્ટ અને હોટલ સંક્રમણનું કેન્દ્ર બન્યાં હતા. સંશોધકોનું કહેવું છે કે હવાના માધ્યમ દ્વારા વાયરસયુક્ત ટીંપા ઘણા દૂર સુધી જઈ શકે છે.
ઘરમાં વાતચીત વખતે માસ્ક પહેરી રાખવું હિતાવક
સ્ટડી કરનાર સંશોધકોએ જણાવ્યું કે એરોસેલ્સ (હવામાં કણો) બંધિયાર વાતાવરણમાં એકત્ર થઈ શકે છે અને શ્વાસોચ્છાસની ગંભીર બીમારીના જોખમમાં વધારો કરે છે.
તેથી લોકોએ બને ત્યાં સુધી વાતચીત કરતી વખતે હમેંશા માસ્ક પહેરી રાખવું જોઈએ. ત્રીજી લહેરની આશંકાની વચ્ચે એક્સપર્ટ્સનો દાવો છે કે જો માતાપિતાએ કોરોના વેક્સિન લીધી હશે તો બાળકોને કોરોનાનું જોખમ નહીં રહે.ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધારે જોખમ હશે તેના કોઈ ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ જો માતાપિતાએ વેક્સિન લીધી હશે તો વાયરસ બાળકો સુધી નહીં પહોંચે.