મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિએન્ટના સબ લાઈનિઝ AY.4 ચિંતા વધારી શકે છે.
ડેલ્ટા વેરિએન્ટના સબ લાઈનિઝAY.4 ચિંતા વધારી શકે
શું વેરિએન્ટે કોરોનાના લક્ષણો અને ગંભીરતાને બદલી નાંખ્યો?
સ્પાઈન પ્રોટીનમાં 133 મ્યૂટેશન પર ભાર
ડેલ્ટા વેરિએન્ટના સબ લાઈનિઝAY.4 ચિંતા વધારી શકે
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસના ઉતાર ચઢાવની વચ્ચે ડેલ્ટા વેરિએન્ટના સબ લાઈનિઝ(ઉપ સ્વરુપ) AY.4 ચિંતા વધારી શકે છે. જો કે હજું તેની તપાસ ચાલું છે કે AY.4 ચિંતાજનક છે કે નહીં. એક અંગ્રેજી અખબારની રિપોર્ટ અનુસાર ભારતીય કોરોના જીનોમ સર્વિલન્સ દરમિયાન એપ્રિલમાં મહારાષ્ટ્રથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. 1 ટકા નમૂનામાં AY.4 જોવા મળ્યો હતો. જુલાઈમાં આમાં વધારો થઈને આ 2 ટકા અને ઓગસ્ટમાં 44 ટકા થયો છે. ઓગસ્ટમાં એનાલિસિસ કરવામા આવેલા 308 સેમ્પલમાંથી 111 (36 ટકા) ડેલ્ટા જોવા મળ્યો હતો. તેમાંથી AY.4 137 નમૂના(44 ટકા) જોવા મળ્યા. ગત અઠવાડિયામાં પૂરા થયેલા હાલના જીનોમ સિક્વેંસિંગમાં AY.4 સહિત અનેક ડેલ્ટા ડેરિવેન્ટિવ જોવા મળી. એક સૂત્રના જણાવ્યાનુંસાર પહેલા ડેલ્ટા પ્લસના નામથી ઓળખાતા ડેલ્ટા અને તેમના ડેરિવેટિવને અત્યાર સુધી અલગ નથી માનવામાં આવી રહ્યા.
શું વેરિએન્ટે કોરોનાના લક્ષણો અને ગંભીરતાને બદલી નાંખ્યો?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ બીએમસીની એક ટીમના દર્દીઓની મેડિકલ રિપોર્ટની સાથે ડેલ્ટા રિપોક્ટ કોરિલેટ કરવામાં આવી રહી છે જેથી એ સમજી શકાય કે શું વેરિએન્ટે કોરોનાના લક્ષણો અને ગંભીરતાને બદલી નાંખ્યો. જો હા તો કેવી રીતે. રિપોર્ટમાં એક ડોક્ટરના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કોઈ વેરિએન્ટ ત્યારે ચિંતાજનક હોય છે જ્યારે આપણે એ સ્પષ્ટ રીતે જાણી જઈએ છીએ કે તેનું ટ્રાન્સમિશન વધી ગયું અથવા આ સંક્રમણ કારક છે. બેંગલુરુમાં સંક્રમિતો લોકોના સેમ્પલ શુક્રવારે જિનોમ સિક્વેંસિંગ માટે મોકલવામાં આવ્યા. આ દરમિયાન 3 લાઈનિજ મેળવવામાં આવેલા જેમાં ડેલ્ટા અને તેમના તમામ લાઈનિજ AY.4 અને AY.12 સામેલ છે.
સ્પાઈન પ્રોટીનમાં 133 મ્યૂટેશન પર ભાર
સ્ટ્રેન્ડ પ્રિસિજન મેડિસિન સોલ્યૂશન્સના રિસર્ચર્સે પોતાના હાલના રિપોર્ટ્સમાં સ્પાઈક પ્રોટીનમાં 133 મ્યૂટેશન્સ પર ભાર મૂક્યો છે. જોવા મળ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ વાલા કુલ સેમ્પલ્સમાંથી 52 ટકા 19થી 45 વર્ષની ઉંમરના લોકોમાં હતા. સબ લાઈનિજ AY.4- 34 ટકા અને AY.12-13 ટકા લોકોમાં હતા. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બાળકો, રસી લગાવી ચૂકેલા વયસ્કો અને રસી ન લેનારા લોકોમાં આ લાઈનિજ જોવા મળ્યા છે.
મહામારીની ત્રીજી લહેરનું અનુમાન લગાવાયું છે
શોધકર્તાઓનું કહેવું છે કે અમને ડેલ્ટા AY.4 અને AY.12 માં 439- 446 પોઝિશન્સ પર સ્પાઈક પ્રોટીનમાં ફ્રિક્વેન્સી પર અનેક નવા મ્યૂટેશન મળ્યા. જેમાંથી કેટલાક નવા છે અને અત્યાર સુધી વૈશ્વિક ડેટાબેસમાં સામેલ છે. આ જીનોમ સિક્વેન્સિંગ રિપોક્ટ એવા સમયે આવી છે જ્યારે સરકાર દ્વારા ગઠિત કોવિડ 19 ટેક્નિકલ સલાહકાર સમિતિએ હાલના જ રિપોર્ટ્સમાં ઓક્ટોબર- નવેમ્બર દરમિયાન મહામારીની ત્રીજી લહેરનું અનુમાન લગાવાયું છે.