દિગ્ગજ ટેક્નોલોજી કંપની ડેલે 6000થી વધુ કર્મચારીઓને ઘરભેગા કરવાનો નિર્ણય લીધો છે.
વધુ એક કંપનીએ કરી છટણીની જાહેરાત
કમ્પ્યુટર-લેપટોપની કંપની ડેલે કાઢશે કર્મચારીઓને
6000થી વધુ કર્મચારીઓને હાંકી કાઢવાનું એલાન
કમ્પ્યુટર ન વેચાતા લીધો નિર્ણય
આજકાલ દેશ-વિદેશમાં લોકોને નોકરીઓમાંથી છૂટા કરવાની ફેશન ચાલી રહી છે. કંપનીઓ પોતાના સ્વાર્થ માટે કર્મચારીઓને બેરોજગાર કરી રહી છે અને આ ટ્રેન્ડ વાયુવેગે ફેલાઈ રહ્યો છે. મેટા, એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓની છટણી બાદ હવે દિગ્ગજ ટેક્નોલોજી કંપની ડેલે પણ 6000 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ પોતાના ગ્લોબલ વર્કફોર્સના 5 ટકાને છૂટા કરવાની યોજના બનાવી છે, જેમાં કુલ 6650 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ડેલના કો-ચીફ ઓપરેટિંગ ઓફિસર જેફ ક્લાર્કે કર્મચારીઓને શેર કરેલી એક નોટમાં કહ્યું છે કે, જૂની કોસ્ટ કટિંગ પદ્ધતિઓ જેમ કે હાયરિંગ બંધ કરવા અથવા મુસાફરી પર પ્રતિબંધ મૂકવા જેવી પદ્ધતિઓ હવે અસરકારક નથી અને બજાર પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. કંપનીમાં છટણી બજારની પરિસ્થિતિ પર આધારિત છે. "આપણે ભૂતકાળમાં આર્થિક મંદીનો સામનો કર્યો છે અને વધુ મજબૂત બનીને બહાર આવ્યા છીએ. કંપનીએ 2020 માં આવી જ છટણીની જાહેરાત કરી હતી.
ભારતીય કર્મચારીઓને પણ નોકરી ગુમાવવી પડી શકે
કોવિડ-19 બાદ કંપની ફરી એકવાર લોકોને બહાર કાઢવાની તૈયારી કરી રહી છે. જો કે આ છટણીથી કયા વિભાગોને અસર થશે તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ છટણી બાદ ડેલમાં લગભગ 39,000 ઓછા કર્મચારીઓ હશે. માર્ચ 2022 ફાઇલિંગ અનુસાર, કંપનીના માત્ર એક તૃતીયાંશ કર્મચારીઓ યુએસ-આધારિત છે. ડેલે પણ ભારતમાં છટણીની પુષ્ટિ કરી છે, પરંતુ અહીંથી કેટલા લોકોને બહાર કાઢવામાં આવશે તે અંગે કોઈ માહિતી આપી નથી.
🚨 Dell to Layoff 6650 Employees, 5% of its Global Workforce in Latest Tech Layoffs
છટણીનું કારણ
કોરોના મહામારી બાદ પર્સનલ કમ્પ્યુટરમાં ભારે માગ બાદ ડેલ અને અન્ય હાર્ડવેર બનાવતી કંપનીઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. ઉદ્યોગ વિશ્લેષક આઈડીસીએ જણાવ્યું હતું કે પ્રારંભિક ડેટા બતાવે છે કે વ્યક્તિગત કમ્પ્યુટર શિપમેન્ટમાં 2022ના ચોથા ક્વાર્ટરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આઈડીસીના જણાવ્યા મુજબ જો મોટી કંપનીઓની વાત કરીએ તો 2022ના સમાન સમયગાળાની તુલનામાં ડેલના શિપમેન્ટમાં સૌથી વધુ ઘટાડો થયો છે. કંપનીના વેચાણમાં કુલ 2021 ટકાનો ઘટાડો નોંધાયો છે. ડેલની કુલ આવકમાં પીસીનો હિસ્સો લગભગ 55 ટકા છે. સરવાળે કમ્પ્યુટરનું વેચાણ ઘટતાં કંપનીએ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે.