પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચટર્જીની નજીકની અર્પિતા મુખર્જીના ટાલીગંજ અને બેલઘરિયા ફ્લેટમાંથી કરોડો રૂપિયા ઈડીના અધિકારીઓએ જપ્ત કર્યા છે. જ્યાં તપાસમાં કેટલાય મોટા ખુલાસાઓ થયા છે.
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે
પૂર્વ મંત્રી પાર્થ ચટરજીની નજીક અર્પિતા મુખર્જીના ઘરેથી નોટોનો ઢગલો મળ્યો હતો
આ દરોડામાં તપાસ કરતા મોટા મોટા ખુલાસો થયા છે
પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચટર્જીની નજીકની અર્પિતા મુખર્જીના ટાલીગંજ અને બેલઘરિયા ફ્લેટમાંથી કરોડો રૂપિયા ઈડીના અધિકારીઓએ જપ્ત કર્યા છે. ઈડીના અધિકારીએ આ વાતની તપાસ કરી રહ્યા છે કે, અર્પિતાના ફ્લેટમાં આટલી મોટી રકમ કેવી રીતે આવી. તપાસ અધિકારીઓનું માનવુ છે કે, બેગ અથવા સૂટકેસ દ્વારા આટલી મોટી રકમ લાવવી શક્ય નથી. કારણ કે જો સૂટકેસ અથવા બેગ ભરીને આટલી મોટી રકમ લાવે તો, કોમ્પ્લેક્ષના લોકોને શંકા જાય. પણ બંને કેસમાં કોમ્પ્લેક્ષમાં રહેતા લોકોને આ વાત ગંધ પણ નથી આવી. ત્યારે આવા સમયે ઈડી અધિકારીઓનું માનવુ છે કે, ડિલિવરી બોયની આડમાં અર્પિતાના ફ્લેટ સુધી નોટોના બંડલ પહોંચતા હતા.
આપને જણાવી દઈએ કે, બે રૂપિયાના બંડલમાં 2 લાખ રૂપિયા આવે છે. ઈડીનો દાવો છે કે, એક મીડિયમ સૂટકેસમાં લગભગ 50 બંડલ ફિટ થઈ શકે. ત્યારે 28 કરોડ લગભગ 28 વખત લાવવા પડે. જ્યારે અર્પિતાના ફ્લેટમાં 2000 રૂપિયા ઉપરાંત મોટી માત્રામાં 500 રૂપિયાની નોટ પણ મળી. આ સ્થિતમાં બંડલની સંખ્યા વધી જાય છે.
રાતના સમયે અર્પિતા ખુદ ગાડી ચલાવીને આવતી હતી
ઈડીના અધિકારીઓનું કહેવુ છે કે, બેલધરિયા સ્થિત અર્પિતા મુખર્જીના ફ્લેટમાં જો અલગ અલગ લોકો એક બાદ એક સૂટકેશ લઈને આવતા હોય તો સ્થાનિક લોકોને શંકા ગઈ હોત. પણ તેમણે વાત કરવા પર કંઈ બતાવ્યુ નથી. તેમણે તેના વિશે કોઈ જાણકારી આપી નથી. તેમનું ફક્ત એટલુ જ કહેવુ હતું કે, અર્પિતા મોડી રાતે ખુદ ગાડી ચલાવીને આવતી હતી. ઈડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર અર્પિતા ભલે તે સમયે પોતાના એક નાના એવા સૂટકેસમાં પૈસા લઈને આવી હોય, પણ તેમાં આટલી રકમ આવી શકે નહીં.
ડિલીવરી બોયની મદદથી નોટોના બંડલો આવતા
ઈડીના અધિકારીઓનું કહેવુ છે કે, હવે ઈ કોમર્સ કંપનીઓ ઘરે ઘરે જઈને પાર્સલ પહોંચાડે છે. તેના પર કોઈ સવાલ કરતા નથી. તપાસ કર્તાઓને શંકા છે કે, અર્પિતાના ફ્લેટમાં પૈસા પહોંચાડવા માટે આવી રીત ઉપયોગમાં લેવાય હોય. એવી શંકા છે કે, પૈસા ભરેલા બોક્સ ડિલીવરી બોયના કપડા પહેરીને પાર્સલ તરીકે તે ફ્લેટમાં પહોંચાડતા હતા. પાડોશીઓએ જણાવ્યુ ંછે કે, અર્પિતા મુખર્જી અંતિમવાર 28 મેના રોજ બ્લોક નંબર 5ના ફ્લેટ 8 એમાં જોવા મળી હતી. જ્યાંથી લગભગ 285 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. એવું જાણવા મળ્યું છેકે, એક ફુડ ડિલીવરી કંપનીએ 30મેના રોજ બપોરે ફ્લેટમાં એક પેકેટ પહોંચાડ્યું હતું. સવાલ એ થાય છે કે, જો ફ્લેટમાં કોઈ છે નહીં તો, ખાવાનું કોના માટે આવ્યું ? જ્યારે ડિલીવરી બોય સાથે સંપર્ક કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, મને યાદ નથી કે ખાવાનું ક્યાંથી અને કોના માટે પાર્સલ આવ્યું હતું.