કેન્દ્ર સરકારને ફાઈનલ પેમેન્ટ મળ્યા બાદ આજથી એર ઈન્ડીયા ટાટા ગ્રુપની થઈ ગઈ છે. ભારે દેવામાં ડૂબેલી એર ઈન્ડીયા 69 વર્ષ, બાદ ફી વાર ટાટા ગ્રુપનો હિસ્સો બની છે.
69 વર્ષ બાદ એર ઈન્ડીયા ટાટા ગ્રુપનો હિસ્સો બની
ટાટા ગ્રુપે સત્તાવાર રીતે એર ઈન્ડીયાનો કબજો સંભાળ્યો
69 વર્ષ બાદ એર ઈન્ડીયા ટાટા ગ્રુપનો હિસ્સો બની છે. ટાટા ગ્રુપે દિલ્હીમાં સત્તાવાર રીતે એર ઈન્ડીયાનો કબજો સંભાળી લીધો છે. પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત બાદ ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું કે ટાટા ગ્રુપમાં એર ઈન્ડીયાને પરત આવેલી જોઈને અમે ખૂબ ખુશ છીએ. તેમણે કહ્યું કે એરલાઈન હસ્તાંતરણની તમામ પ્રક્રિયાઓ પૂરી કરી લેવાઈ છે અને હવેથી એર લાઈન ટાટા ગ્રુપની કંપનીઓના હિસ્સો બની તે જાણીને અમે ખૂબ ખુશ છીએ.
We're totally delighted that this process is complete & happy to have Air India back in the Tata Group. We look forward to walking with everyone to create a world-class airline: Chairman of Tata Sons N Chandrasekharan after taking handover of Air India pic.twitter.com/0vv3EVhRXL
એર ઈન્ડીયાએ સરકારને ફાઈનલ પેમન્ટની ચુકવણી કરી
એર ઈન્ડીયાએ કેન્દ્ર સરકારને ફાઈનલ પેમેન્ટની ચુકવણી કરી દીધી છે અને આ ચુકવણી બાદ ટાટા ગ્રુપે સત્તાવાર રીતે એર ઈન્ડીયાનો કબજો સંભાળી લીધો છે.
સરકારે 18,000 કરોડ રુપિયામાં ટાટાને સોંપી એર ઈન્ડીયા
સરકારે પ્રતિસ્પર્ધી બોલી પ્રક્રિયા બાદ 8 ઓક્ટોબરે 18,000 કરોડ રુપિયામાં એર ઈન્ડીયાને ટેલેસ પ્રાઈવેટ લિમિટેડને વેચી દીધઈ હતી. આ ટાટા સમુહની હોલ્ડિંગ કંપનીનું પેટા યુનિટ છે.
આજે બોર્ડ રાજીનામું આપી શકે
પ્રધાનમંત્રી કાર્યાલયે આ બેઠકની તસવીર શેર કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન ટાટા સન્સના ચેરમેને પ્રધાનમંત્રી સાથે એર ઇન્ડિયાને સોંપવા અને આગળની કામગીરી અંગે વાત કરી હતી. આજે એર ઇન્ડિયાના બોર્ડની પણ મહત્વની બેઠક છે. એર ઇન્ડિયાનું હાલનું બોર્ડ આજે રાજીનામું આપે તેવી શક્યતા છે. આ પછી, ટાટાના નોમિની બોર્ડમાં જૂના સભ્યોને બદલી શકે છે.
પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરતા પહેલા એર ઇન્ડિયાના મુખ્યાલય પહોંચ્યાં એન.ચંદ્રશેખરન
પીએમને મળતા પહેલા ટાટા સન્સના ચેરમેન એર ઇન્ડિયાના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. એર ઇન્ડિયાના હેડક્વાર્ટર ખાતે ચંદ્રશેખરન ડીઆઇપીએએમના સેક્રેટરી તુહિનકાંત પાંડે, પૂર્વ એવિએશન સેક્રેટરી પ્રદીપ સિંહ ખરોલા અને એર ઇન્ડિયાના સીએમડી વિક્રમ દેવ દત્તને મળ્યા હતા.અગાઉ ટાટાને આજે એર ઇન્ડિયાને સોંપવામાં આવનાર હતા, પરંતુ બાદમાં એવી માહિતી સામે આવી હતી કે હવે આ કામ આવતીકાલ માટે મુલતવી રાખવામાં આવી શકે છે.
The formalities have been completed. The Air India disinvestment process is closed. The shares have been transferred to Talace Pvt Ltd, which is the new owner of Air India: Tuhin Kant Pandey, Secretary, Department of Investment & Public Asset Management (DIPAM) pic.twitter.com/yfLBETERR5
ટાટા ગ્રુપે આજથી એર ઇન્ડિયાના દૈનિક કામકાજમાં યોગદાન આપવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ ચાર ફ્લાઇટ્સમાં ઉન્નત ભોજન સેવા સાથે શરૂઆત કરી છે. બાદમાં આ સેવા અન્ય ફ્લાઈટમાં પણ શરૂ કરવામાં આવશે. અત્યારે તે ચાર ફ્લાઇટ્સ એઆઇ864, એઆઇ687, એઆઇ945 અને એઆઇ639માં શરૂ થઇ છે.