રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ પદે નિયુક્ત કર્યાં છે. વિનય કુમાર સક્સેના અનિલ બૈજલનું સ્થાન સંભાળશે.
દિલ્હીને મળ્યાં નવા ઉપરાજ્યપાલ
વિનય કુમાર સક્સેનાની ઉપરાજ્યપાલ પદે નિયુક્તી
વિનય કુમાર સક્સેના ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન
અનિલ બૈજલનું સ્થાન લેશે
અનિલ બૈજલના રાજીનામા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલનું પદ ખાલી પડ્યું હતું પરંતુ હવે નવી નિયુક્તી કરી દેવાઈ છે. સોમવારે રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ દિલ્હીના નવા ઉપરાજ્યપાલ પદે વિનય કુમાર સક્સેનાની નિયુક્તી કરી છે.
Vinai Kumar Saxena to be the Lt. Governor of Delhi with effect from the date he assumes charge of his office, reads a statement of Press Secretary to the President
કોણ છે વિનય કુમાર સક્સેના
વિનય કુમાર સક્સેના હાલમાં ખાદી અને ગ્રામોદ્યોગના ચેરમેન છે. વિનય કુમાર સક્સેનાએ 27 ઓક્ટોબર 2015ના રોજ ખાદી અને ગ્રામોદ્યોગના ચેરમેન તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો હતો.
અનિલ બૈજલે 18 મે 2022ના રોજ આપ્યું હતું રાજીનામું
અનિલ બૈજલે 18 મે 2022ના રોજ વ્યક્તિગત કારણોસર ઉપરાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું. ભારતીય વહીવટી સેવા (આઈએએસ)ના 1969 બેચના અધિકારી બૈજલને નજીબ જંગના અચાનક રાજીનામા બાદ ડિસેમ્બર 2016માં દિલ્હીના 21મા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2021 ના રોજ પૂર્ણ થયો હતો. જોકે, દિલ્હીના ઉપરાજ્યપાલનો કાર્યકાળ નક્કી નથી. ઘણા મામલાઓના દિવસે દિલ્હીની કેજરીવાલ સરકાર અને પૂર્વ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે ટકરાવની વાતો થઈ હતી. વાસ્તવમાં બૈજલે દિલ્હી સરકારની 1000 બસોની ખરીદ પ્રક્રિયાની તપાસ માટે એક વર્ષ પહેલા ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. ભાજપ સતત આ મામલે સીબીઆઈ તપાસની અપીલ કરી રહી હતી. ઉપરાજ્યપાલ દ્વારા રચવામાં આવેલી આ પેનલમાં એક નિવૃત્ત આઈએએસ અધિકારી, વિજિલન્સ વિભાગના અગ્ર સચિવ અને દિલ્હી સરકારના પરિવહન કમિશનરનો સમાવેશ થાય છે. આ મુદ્દે પણ તેમને કેજરીવાલ સરકારથી ઘણી મુશ્કેલી પડી હતી.
દિલ્હીના ઉપરાજ્યપાલ અને આપ સરકાર વચ્ચેનો વિવાદ જાણીતો છે
ઉલ્લેખનીય છે કે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે દિલ્હીના જે પણ ઉપરાજ્યપાલ બને તે સીધા કેન્દ્ર સરકારને રિપોર્ટ કરતા હોય છે. દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર છે પરંતુ તેની સત્તાઓ લિમિટ છે. દિલ્હીના વહિવટીય વડા મુખ્યમંત્રી નહીં પરંતુ ઉપરાજ્યપાલ હોય છે તેથી ભૂતકાળમાં કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે અનેક મુદ્દે ચકમક ઝરી હતી અને તેમની વચ્ચેનો વિવાદ જાહેરમાં આવ્યો હતો.