રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારથી સાપ્તાહિક બજારો ફરીથી ખૂલશે અને સાથે જ કેજરીવાલે કોરોના પ્રોટોકોલ્સનું પાલન કરવા કહ્યું છે.
સોમવારથી રાજધાની થશે અનલૉક
સાપ્તાહિક બજારો ખોલવાની મંજૂરી મળી
કેજરીવાલે આ નિયમો કર્યા જાહેર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારથી સાપ્તાહિક બજારો ફરીથી ખૂલશે અને સાથે જ કેજરીવાલે કોરોના પ્રોટોકોલ્સનું પાલન કરવા કહ્યું છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરી છે કે સોમવારથી સાપ્તાહિક બજારો ખોલી શકાશે. સરકાર ગરીબ લોકોની રોજી રોટી માટે ચિંતિત છે. જો કે સ્વાસ્થ્ય અને જીવન પણ મહત્વનું છે. હું દરેક બજારોને ખોલવાની સાથે કોરોના પ્રોટોકોલ્સનું પાલન કરાય તેવો આગ્રહ રાખું છું.
Weekly markets are being opened from Monday. These r poor people. Govt is quite concerned about their livelihoods. However, everyone’s health and lives are also imp. I urge everyone to follow Covid appropriate behaviour after these mkts are opened.
લાંબા સમયથી બંધ છે દિલ્હીના સાપ્તાહિક બજારો
દિલ્હીમાં લાંબા સમયથી સાપ્તાહિક બજારો બંધ છે. આ પહેલા 50 ટકા વેન્ડર્સની સાથે એક જોનમાં એક દિવસે એક સાપ્તાહિક બજાર ખોલવાની પરમિશન મળી હતી. પહેલા 100 ટકા સાથે મેટ્રો ચાલ કરાઈ અને હવે એ પહેલા તે 50 ટકા સાથે ચાલી રહી હતી. 50 ટકા સાથે સિનેમા અને મલ્ટીપ્લેક્સ પણ ખોલવાની મંજૂરી મળી હતી.
ઘટી રહ્યા છે કોરોનાના દૈનિક કેસ
દિલ્હીમાં કોરોનાના રોજના કેસ સતત ઘટી રહ્યા છે. બીજી લહેરમાં ઓખ્સીજન, બેડની અછત પણ જોવા મળી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા. આ સમયે હજારોની સંખ્યામાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા હતી. આ સંખ્યા રોજના 100થી પણ ઓછી છે. સરકાર ગંભીર ત્રીજી લહેરને લઈને પણ સતર્ક છે અને તૈયારીઓ કરી રહી છે.